Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલવાલે દુલ્હનિયા લે જાયેેંગે : રાની મુખર્જી અને આદિત્ય ચોપરા બંધાયા લગ્નના બંધનમાં

દિલવાલે દુલ્હનિયા લે જાયેેંગે : રાની મુખર્જી અને આદિત્ય ચોપરા બંધાયા લગ્નના બંધનમાં

22 April, 2014 06:05 AM IST |

દિલવાલે દુલ્હનિયા લે જાયેેંગે : રાની મુખર્જી અને આદિત્ય ચોપરા બંધાયા લગ્નના બંધનમાં

દિલવાલે દુલ્હનિયા લે જાયેેંગે : રાની મુખર્જી અને આદિત્ય ચોપરા બંધાયા લગ્નના બંધનમાં








ભારતી દુબે, 22 એપ્રિલ 2014


રાની મુખર્જીએ પોતાના સંબંધોને આગળ વધારીને આખરે ઇટલીમાં 21 એપ્રિલે નજીકના મિત્રો અને અને સંબંધીઓની હાજરીમાં આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લીધાં છે.

રાની મુખર્જીએ કહ્યું હતું કે "હું મારા જીવનની સૌથી સુખી વાત મારા ફૅન્સ સાથે શૅર કરવા માંગુ છું. હું જાણું છે કે મારા શુભચિંતકો જે આ દિવસ માટે ઘણી રાહ જોતા હતા તેઓ ઘણા ખુશ થશે. નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં ઈટાલીયન કન્ટ્રીસાઈડમાં લગ્ન ખૂબ જ સુંદર રહ્યાં.

આ પ્રસંગે સૌથી વધુ જે વ્યક્તિની મને ખોટ સાલે છે તે છે યશ અંકલ, પરંતુ હું જાણું છું કે તેઓની આત્મા અને પ્રેમ અમારી સાથે છે અને રહેશે. હું હંમેશા સપનાઓની વાર્તાઓમાં માનતી હતી અને મારા જીવનમાં એવું જ થઈ રહ્યું છે ત્યારે જીવનમાં નવું પ્રકરણ શરૂ થયું છે ત્યારે આ વાર્તાનો દોર ચાલુ રહેશે."

ફિલ્મ સમીક્ષક તરન આદર્શે ટ્વિટ કર્યુ હતું કે "આદિત્ય ચોપરા અને રાની મુખર્જી ઈટલીમાં 21 એપ્રિલે લગ્ન કરી લીધા છે. લગ્નની વિધિ સામાન્ય અને નજીકના લોકોની હાજરીમાં થઈ"

અત્રે ઉલ્લેખનીય છે કે આ ડિરેક્ટર-અભિનેત્રી કપલના લગ્ન 14 ફેબ્રુઆરીના રોજ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં થવાના હતા તેવી ચર્ચા થતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2014 06:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK