Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વાજિદ ખાને ઇરફાન ખાનના નિધન પર કરેલું ટ્વીટ થઈ રહ્યું છે વાયરલ

વાજિદ ખાને ઇરફાન ખાનના નિધન પર કરેલું ટ્વીટ થઈ રહ્યું છે વાયરલ

01 June, 2020 05:07 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વાજિદ ખાને ઇરફાન ખાનના નિધન પર કરેલું ટ્વીટ થઈ રહ્યું છે વાયરલ

વાજિદ ખાનનું ઇરફાન ખાનના નિધન સમયે કરેલું ટ્વીટ વાયરલ

વાજિદ ખાનનું ઇરફાન ખાનના નિધન સમયે કરેલું ટ્વીટ વાયરલ


જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું મુંબઇની હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તે 42 વર્ષના હતા. વાજિદ ખાનના નિધનથી બોલીવુડમાં શોકની લહેર છે. બધાં આ દિગ્ગજ કલાકારને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. આ દરમિયાન વાજિદ ખાને કરેલું એક ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમણે આ ટ્વીટ ઇરફાન ખાનના નિધન સમયે કર્યું હતું.




ઇરફાન ખાનનું નિધન બરાબર એક મહિના પહેલા થયું હતું. તે સમયે વાજિદે પોતોના ટ્વીટમાં ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, "આ સંતાકુકડીની રમતમાં હંમેશાં એક શોધતો રહી જાય છે. અને તે પાસે નથી આવતો, જે છુપાઇ જાય છે, ઇરફાન મારા ભાઈ, અલ્લાહ તમને આ યાત્રામાં ઇમામની તાજગી અને તમારી આત્માને શાંતિ આપે. તમારું ત્યાંનું જીવન અલ્લાહ સરળ કરે."


વાજિદ ખાનનું આ ટ્વીટ હવે વાયરલ થઈ રહ્યું છે. ચાહકો લખે છે કે, કોને ખબર હતી, કે આ જ વાત એક મહિના પછી અમે તમારી માટે લખશું. જીવનનો કોઇ ભરોસો નથી. એક યૂઝરે લખ્યું છે કે, "અમને શું ખબર હતી કે એક મહિના પછી આ શબ્દો ભાઈ માટે હશે. તમારી આત્માને શાંતિ મળે."

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 05:07 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK