વાજિદ ખાને ઇરફાન ખાનના નિધન પર કરેલું ટ્વીટ થઈ રહ્યું છે વાયરલ
વાજિદ ખાનનું ઇરફાન ખાનના નિધન સમયે કરેલું ટ્વીટ વાયરલ
જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું મુંબઇની હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તે 42 વર્ષના હતા. વાજિદ ખાનના નિધનથી બોલીવુડમાં શોકની લહેર છે. બધાં આ દિગ્ગજ કલાકારને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. આ દરમિયાન વાજિદ ખાને કરેલું એક ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમણે આ ટ્વીટ ઇરફાન ખાનના નિધન સમયે કર્યું હતું.
Iss ankh micholi ke khel mein hamesha ek dhoondhta hi rehta hai aur woh nahin paas aata jo chupp jaata hai mere bhai @irrfank Allah aapko iss suffer imaan ki taazgi aapki rooh ko sukoon mile Aameen... May Allah bless your soul my brother.wahan ki zindagi Allah aahsaan kare Rip?
— Wajid Khan (@wajidkhan7) April 29, 2020
ADVERTISEMENT
ઇરફાન ખાનનું નિધન બરાબર એક મહિના પહેલા થયું હતું. તે સમયે વાજિદે પોતોના ટ્વીટમાં ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, "આ સંતાકુકડીની રમતમાં હંમેશાં એક શોધતો રહી જાય છે. અને તે પાસે નથી આવતો, જે છુપાઇ જાય છે, ઇરફાન મારા ભાઈ, અલ્લાહ તમને આ યાત્રામાં ઇમામની તાજગી અને તમારી આત્માને શાંતિ આપે. તમારું ત્યાંનું જીવન અલ્લાહ સરળ કરે."
Dekho Yaar kesne soucha Hoga Ek mahene Baad Yahe Sabd Bhai ke liye Hoge
— Sayyad Arbaz Ali (@SayyadArbazAli) June 1, 2020
વાજિદ ખાનનું આ ટ્વીટ હવે વાયરલ થઈ રહ્યું છે. ચાહકો લખે છે કે, કોને ખબર હતી, કે આ જ વાત એક મહિના પછી અમે તમારી માટે લખશું. જીવનનો કોઇ ભરોસો નથી. એક યૂઝરે લખ્યું છે કે, "અમને શું ખબર હતી કે એક મહિના પછી આ શબ્દો ભાઈ માટે હશે. તમારી આત્માને શાંતિ મળે."