વાજિદ ખાનનાં માતા કોરોના પૉઝિટીવ, ગઈ કાલે જ થયું પુત્રનું નિધન
વાજિદ ખાન (ફાઇલ ફોટો)
સંગીતકાર વાજિદ ખાનનું સોમવારે સવારે નિધન થયું હતું. વાજિદ ખાન 42 વર્ષના હતા. વાજિદના નિધન પછી સોશિયલ મીડિયા પર બોલીવુડ સિતારાઓથી લઈને તેમના ચાહકો સુધી બધાં જ તેમને યાદ કરી રહ્યા છે. કેટલીક રિપોર્ટ્સમાં દાવો હતો કે વાજિદ પણ કોવિડ-19 પૉઝિટીવ હતા, પણ હજી આ વાતની કોઇ ઑફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી. હવે કહેવામાં આવી રહ્યું છે કે સાજિદ અને વાજિદનાં માતા રજિના ખાન પણ કોરોના વાયરસ સંક્રમિત છે.
પિન્કવિલાની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વાજિદનાં માતાની મુંબઇના સુરાના સેઠિયા હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે તેમની પણ કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવી હતી. વાજિદ ખાનની પણ આ જ હૉસ્પિટલમાં કિડનીની સારવાર થઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે વાજિદના માતા પગેલા જ સંક્રમિત થયા હતા. હવે તેમના શુભચિંતકો તેમના જલ્દી સાજાં થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વાજિદનાં માતાની સારવાર થઈ રહી છે અને માનવામાં આવે છે કે હૉસ્પિટલમાં કોઇ દર્દીના સંપર્કમાં આવતાં તેમને સંક્રમણ થયું છે.
ADVERTISEMENT
જણાવીએ કે નિધન પછી વાજિદને મુંબઇના વર્સોવા મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. આ એ જ કબ્રસ્તાન છે જ્યાં એક મહિના પહેલા બોલીવુડ એક્ટર ઇરફાન ખાનને દફન કરવામાં આવ્યા હતા. દેશમાં હાલ લૉકડાઉન ચાલું છે એવામાં વાજિદની અંતિમ યાત્રામાં વધારે લોકો સામેલ થઈ શક્યા નહોતા. વાજિદની અંતિમ યાત્રામાં તેમના ભાઈ સાજિદ ખાન, પત્ની અને બાળકો સામેલ થયા.
વાજિદ ફક્ત એક સારા મ્યબઝિક કમ્પૉઝર જ નહીં પણ ખૂબ જ જિંદાદિલ માણસ પણ હતા. ઇન્ડસ્ટ્રીને તેમણે અનેક સુપરહીટ સૉન્ગ આપ્યા છે જેમના પર લોકો ખૂબ જ ડાન્સ પણ કરે છે. વાજિદને તેમના ગીત અને જિંદાદિલી માટે હંમેશાં યાદ કરવામાં આવશે. સેલેબ્સથી લઈને સામાન્ય મનુષ્ય સુધી, સોશિયલ મીડિયા પર બધાં જ વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરે છે.