Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિરાટ કોહલીએ આ તસવીર માટે અનુષ્કાને આપી ક્રેડિટ, ટીશર્ટ પર છે આ...

વિરાટ કોહલીએ આ તસવીર માટે અનુષ્કાને આપી ક્રેડિટ, ટીશર્ટ પર છે આ...

16 September, 2019 01:20 PM IST | મુંબઈ ડેસ્ક

વિરાટ કોહલીએ આ તસવીર માટે અનુષ્કાને આપી ક્રેડિટ, ટીશર્ટ પર છે આ...

વિરાટ અનુષ્કા

વિરાટ અનુષ્કા


આજ કાલ સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર પહેલા કરતા વધુ સક્રિય રહે છે. પણ જ્યારે વાત આવે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી હોય ત્યારે તે હંમેશા સોશિયલ મીડિયામાં વધુ પડતા સક્રિય રહે છે. વિરાટ કોહલી હાલમાં જ પોતાના સોશિયલ મીડિયામાં વધુ એક તસવીર શૅર કરી છે. આ તસ્વીરમાં તે ખૂબ જ શાંત બેઠો છે. પણ વિરાટ કોહલીએ આ તસવીર માટે પત્ની અનુષ્કા શર્માને ક્રેડિટ આપી છે.

વિરાટ કોહલીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શૅર કરતાં આ તસવીરને કૅપ્શન આપ્યું છે, "Caught in the moment" એટલે પળમાં પકડાયો. "તસવીર સૌજન્ય અનુષ્કા શર્મા" તસવીરના કૅપ્શનથી ભલે વધુ વિગતો સામે નથી આવતી, પણ તેણે જે ટીશર્ટ પહેરી છે તે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નજીવન વિશેની સુંદરતા પ્રદર્શિત કરે છે.




ટીશર્ટ પર છપાયેલો છે ખાસ લોગો
હકીકતે, વિરાટ કોહલીએ જે સફેદ રંગની ટીશર્ટ પહેરી રાખી છે તેના પર એક ખાસ લોગો બનેલો છે. આ લોગો બીજું કંઇ નહીં પણ એક દિલ અને તેની નીચે લાલ કલરમાં લખેલું A છે. તેનો અર્થ છે કે તે અનુષ્કાને ખૂબ જ પ્રેમ કરે છે. જણાવીએ કે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના દમદાર બેટ્સમેન વિરાટ કોહલીએ વર્ષ 2017ના ડિસેમ્બરમાં ઇટલીમાં લગ્ન કર્યા હતા.


જણાવીએ કે, વિરાટ કોહલી હાલ ટીમ ઇન્ડિયા સાથે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરીઝ માટે ગયો છે. રવિવારના ધરમશાલામાં થનારી મેચ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. તેના પછી તે પંજાબના મોહાલીમાં બીજી ટી20 મેચ રમવાનો છે. તો, સીરીઝની છેલ્લી અને ત્રીજી મૅચ બેંગલુરુમાં રમવામાં આવશે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીને ગમે છે બાળકો, બાળકો સાથે કરે છે આવી મસ્તી

નોંધનીય છે કે આ પહેલા વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની સાથેની એક તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કર્યા બાદ એવો માહોલ બન્યો હતો કે ધોની હવે ક્રિકેટને અલવિદા કહેવા માગે છે. સોશિયલ મીડિયા પર તો એવી અફવાઓ પણ આવી હતી કે ધોની સાંજે સાત વાગ્યે પ્રેસ કૉન્ફરેન્સ કરશે અને પોતાના સંન્યાસની જાહેરાત કરશે. પછી કેપ્ટન કોહલી અને એમએસકે પ્રસાદને પોતે સ્પષ્ટતા આપવી પડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 01:20 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK