Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં બાળકો પર હિંસા વધુ થઈ રહી છે : આયુષ્માન ખુરાના

લૉકડાઉનમાં બાળકો પર હિંસા વધુ થઈ રહી છે : આયુષ્માન ખુરાના

20 November, 2020 08:11 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

લૉકડાઉનમાં બાળકો પર હિંસા વધુ થઈ રહી છે : આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે લૉકડાઉનમાં બાળકો પર હિંસાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આયુષ્માન સોશ્યલ મેસેજવાળી ફિલ્મો કરવા માટે જાણીતો છે. તે એન્ટરટેઇનમેન્ટની સાથે મેસેજ પણ આપતો હોવાથી યુનિસેફ દ્વારા તેને બાળકો સામેની હિંસાને દૂર કરવાના કૅમ્પેન માટેનો પ્રતિનિધિ બનાવ્યો હતો. આ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘આપણને ખબર છે કે કોવિડ-19 કોઈના માટે પણ સરળ નથી. ખાસ કરીને બાળકો માટે, કારણ કે તેઓ વધુ હિંસાનો ભોગ બની રહ્યાં છે. આપણે આપણી આસપાસના લોકોને જાગરૂક કરીને આ હિંસા ઘટાડી શકીએ છીએ. પુરુષ અને છોકરાઓ હોવાથી આપણી જવાબદારી છે કે આપણે સારા વ્યક્તિ બનીએ અને હિંસાનો અંત આણીએ. યુનિસેફના સેલિબ્રિટી ઍડ્વોકેટ હોવાથી પણ હું આ હિંસાનો અંત આણવા માગું છું.’
નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના 2018ના રેકૉર્ડ મુજબ ઇન્ડિયામાં દર કલાકે પાંચ ચાઇલ્ડ અબ્યુઝના કેસ નોંધાય છે. ધ નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે-4 મુજબ પાંચમાંથી એક ટીનેજ છોકરી ફિઝિકલ વાયલન્સનો શિકાર બને છે. 99 ટકા સ્કૂલનાં બાળકો શિક્ષક દ્વારા મેન્ટલ અને ફિઝિકલ અબ્યુઝનો શિકાર બને છે. આજે વર્લ્ડ ચિલડ્રન્સ ડે છે. આથી એ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હિંસાથી સ્વતંત્રતા મળવી એ બાળકોનો અધિકાર છે. બાળકોના હક પણ એક માનવ અધિકાર છે. હિંસાથી બાળક પર ગંભીર પરિણામ આવી શકે છે અને એ તેમને શારીરિક અને માનસિક રીતે પણ અસર કરી શકે છે. સ્કૂલ, ઘર, રસ્તા પર, ઑનલાઇન અથવા તો કમ્યુનિટીમાં પણ દરરોજ બાળકો હિંસાનો ભોગ બને છે. આ અમીર અને ગરીબ બન્ને ફૅમિલીઝમાં જોવા મળે છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 08:11 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK