Dilip Kumar Health: દિલીપ કુમારની તબિયત લથડી, સાયરા બાનુએ કહ્યું....
દિલીપ કુમાર અને સાયરા બાનુ
બૉલીવુડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર અને સાયરા બાનુની જોડી લોકોની મનપસંદ જોડીમાંથી એક છે. દિલીપ કુમાર વર્ષની સદી ફટકારવાના માત્ર 2 વર્ષ દૂર છે. દિલીપકુમાર 11 ડિસેમ્બરે પોતાનો 98મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. એની પહેલા એમની પત્ની અને એક્ટ્રેસ સાયરા બાનુએ દિલીપ કુમારની તબિયત વિશે જાણકારી આપી છે અને કહ્યું કે દિલીપ કુમારની તબિયત બગડી ગઈ છે. તેઓ ઘણા કમજોર થઈ ગયા અને એમની ઈમ્યૂનિટી પણ ઓછી થઈ ગઈ છે.
પત્ની સાયરા બાનુએ હાલ દિલીપ કુમારની હેલ્થ વિશે જાણકારી આપી છે. એમણે કહ્યું કે તે દિલીપ કુમારની સંભાળ લેતી નથી, કારણકે તેના પર એક પ્રકારનું દબાણ છે. દિલીપ કુમારની સંભાળ તો પત્ની રાખે જ છે કારણકે તે તેમને ઘણો પ્રેમ કરે છે અને તેમનો ખ્યાલ રાખવો એમને ઘણો ગમે છે.
ADVERTISEMENT
ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સાયરા બાનુએ કહ્યું કે મારો આ હેતુ બિલકુલ નથી કે કોઈ મારા વખાણ કરે અને કહે કે હું એક સમર્પિત પત્ની છું. દિલીપ સાહબ હાલ ઘણા કમજોર છે, તેમની ઈમ્યૂનિટી પણ ઘટી ગઈ છે. કેટલીકવાર તેઓ હૉલમાં આવે છે, પણ પછી પાછા પોતાના રૂમમાં જતા રહે છે. તેમના સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરો.
દિલીપ કુમારના ટ્વિટર અકાઉન્ટ પર સાયરા બાનુએ એક મેસેજ શૅર કર્યો હતો, જેમાં લખ્યું હતું. 11 ઑક્ટોબર હંમેશા મારા માટે એક ખાસ દિવસ રહ્યો છે. આ દિવસે દિલીપ સાહેબે મારી સાથે લગ્ન કર્યા હતા અને મારા સપનાને સાકાર કર્યા હતા. આ વર્ષે અમે લગ્નની વર્ષગાંઠને સેલિબ્રેટ કરી નથી. તમે જાણો જ છો કે અમારા બે ભાઈઓ એહસાન અને અસલમ ભાઈનું મોત નીપજ્યું હતું. કોવિડ -19 ને કારણે આ વર્ષે ઘણાં લોકોનાં જીવ ગયા અને ઘણા પરિવારોને શોક આપ્યો. હાલના સંજોગોમાં હું તમને બધાને એક બીજાના સુખાકારી માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું. ભગવાન અમારી સાથે રહે. બધા સુરક્ષિત રહે.
લગ્નને થઈ ગયા 54 વર્ષ
દિલીપ કુમાર અને સાયરા બાનુના લગ્ન 11 ઑક્ટોબર 1966ના રોજ થયા હતા. સાયરા તે સમયે 25 વર્ષના હતા, જ્યારે દિલીપ કુમાર 44 વર્ષના હતા.