સંજય દત્ત અને રણબીર કપૂર સ્ટાર જેવું વર્તન નથી કરતા : વાણી કપૂર
વાણી કપૂર
વાણી કપૂરનું કહેવું છે કે સંજય દત્ત અને રણબીર કપૂરનું વર્તન સ્ટાર જેવુ નહીં, પરંતુ સામાન્ય છે. તે આ બન્ને સાથે પહેલી વાર ‘શમશેરા’માં કામ કરી રહી છે. બન્નેની પ્રશંસા કરતાં વાણીએ કહ્યું હતું કે ‘તેમની સાથે કામ કરવામાં કોઈ મુશ્કેલી નથી નડતી. તેઓ એક સ્ટાર જેવું પણ વર્તન નથી કરતા. સંજય ખૂબ જ વિનમ્ર અને દયાળુ છે. તેઓ સેટ પર સારી એનર્જી લઈને આવે છે એથી હું ખૂબ નિરાંત અનુભવું છું અને સાથે જ મારા કામ પર પણ ધ્યાન આપી શકું છું.’