'ઉરી'માં પરેશ રાવલ નિભાવશે અજીત ડોભાલનો રોલ
પરેશ રાવલ અજીત ડોભાલના રોલમાં
વિકી કૌશલ અભિનીત 'ઉરી' તેની પ્રત્યેક ઘોષણા સાથે દર્શકો વચ્ચે રોમાંચ ઉત્પન્ન કર્યો છે. ઉરીમાં પરેશ રાવલનો રોલ રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર આધારિત છે. અજીત ડોભાલ એક ભારતીય જાસૂસ અને કાયદા અમલીકરણ અધિકારી છે જે 30 મે 2014થી ભારતના વડા પ્રધાન માટે 5માં અને વર્તમાન રાષ્ટ્રિય સલાહકાર છે. 2016માં ઉરી શહેરમાં થયેલા સર્જીકલ સ્ટ્રાઈક હુમલા દરમિયાન અજીત ડોભાલે મહત્વની ભુમિકા નિભાવી હતી.
આરએસવીપીની 'ઉરી' 2016ની ઘટના પર આધારિત છે જ્યારે ભારતીય રાજ્ય જમ્મૂ કાશ્મીરમાં ઉરી શહેર પાસે ચાર ભારે સશસ્ત્ર આતંકવાદી દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ હમલાને બે દશકોમાં સુરક્ષા બળો પર થયેલો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર 2016માં થયેલા ઉરી હુમલા ઘણા ભારતીય જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ ભારતીય જવાનોએ પાકિસ્તાનના ભાગમાં આવેલા કાશ્મીરમા ગુપ્ત કાઉન્ટર હુમલો કર્યો હતો. અને ઉરી આ જ ઘટના પર આધારિત છે.
ADVERTISEMENT
ફિલ્મ વિશે વાત કરતા રોની સ્ક્રૂવાલાએ જણાવ્યું હતું કે, 'આ ફિલ્મમાં વિકી કૌશલ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. ઉરી એક એવી સ્ટોરી છે જે ભારતીય સૈન્ય શકિતનો પરચો બતાવે છે' ઉરી 11 જાન્યુઆરી 2019ના રોજ રીલીઝ થશે.