Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અન્ડરકવર એજન્ટ્સ ખરેખરા અનસંગ હીરો છે : કે. કે. મેનન

અન્ડરકવર એજન્ટ્સ ખરેખરા અનસંગ હીરો છે : કે. કે. મેનન

19 March, 2020 06:17 PM IST | Mumbai Desk
IANS

અન્ડરકવર એજન્ટ્સ ખરેખરા અનસંગ હીરો છે : કે. કે. મેનન

કે. કે. મેનન

કે. કે. મેનન


કે. કે. મેનનનું કહેવું છે કે રિયલ લાઇફમાં જો કોઈ અનસંગ હીરો હોય તો એ છે ઇન્ડિયાના અન્ડરકવર એજન્ટ્સ. ‘હૉટસ્ટાર’ પર આવેલી ‘સ્પેશ્યલ ઑપ્સ’માં કે. કે. મેનને અન્ડરકવર ઑફિસર હિમ્મત સિંહનું પાત્ર ભજવ્યું છે. ઇન્ડિયામાં છેલ્લાં ૧૯ વર્ષથી થઈ રહેલા ટેરરિસ્ટ હુમલા પર આધારિત આ એક ફિક્શન શો છે જેમાં ૨૬/૧૧ના હુમલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નીરજ પાન્ડે અને શિવમ નાયર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા આઠ એપિસોડના શો વિશે વાત કરતાં કે. કે. મેનને કહ્યું હતું કે ‘૨૬/૧૧એ આપણા દેશને દરેક વ્યક્તિને હચમચાવી દીધી હતી. ઇન્ડિયન ઇન્ટેલિજન્સને ‘સ્પેશ્યલ ઑપ્સ’માં એકદમ યુનિક રીતે દેખાડવામાં આવ્યા છે. આજના સમયના ખરેખરા અનસંગ હીરો હોય તો એ ઇન્ડિયન અન્ડરકવર એજન્ટ્સ છે. આપણા દેશ પર થયેલા ઘણા હુમલાના માસ્ટર માઇન્ડને પકડવાનું કામ આ ઇન્ડિયન અન્ડરકવર એજન્ટ્સે કર્યું હતું અને તેમની સ્ટોરી સામે લાવવાનું કામ અમે કર્યું છે. તેઓ આપણા દેશ માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને આપણે તેમના ઋણી છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 06:17 PM IST | Mumbai Desk | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK