અજય દેવગન અને યશરાજ ફિલ્મ્સ વચ્ચેની દુશ્મનીના અંતની શરૂઆત?
ADVERTISEMENT
તાજેતરમાં ‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ની રિલીઝ વખતે અજય દેવગન અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે ઘણી સમસ્યા ઊભી થઈ હતી. જોકે લાગે છે કે હવે આ પરિસ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે. સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર અજય અને ઉદય ચોપડા બન્નેનાં અકાઉન્ટ છે. અહીં અજય કોઈને ફૉલો નથી કરતો, પણ ઉદય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધાને ફૉલો કરે છે.
‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ વચ્ચે ઊભા થયેલા વિવાદ પછી જ્યારે ઉદયે હાલમાં અજયને ફૉલો કરવાનું શરૂ કર્યું ત્યારે બધાને બહુ નવાઈ લાગી હતી. ઉદયના આ પગલાને કારણે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે અજય અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે ઊભી થયેલી દુશ્મનીના અંતની શરૂઆત થઈ ગઈ છે.