Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Total Timepaas: બૅટલફીલ્ડ કંગના રનોટનો સાચો પ્રેમ

Total Timepaas: બૅટલફીલ્ડ કંગના રનોટનો સાચો પ્રેમ

18 February, 2021 01:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Total Timepaas: બૅટલફીલ્ડ કંગના રનોટનો સાચો પ્રેમ

Total Timepaas: બૅટલફીલ્ડ કંગના રનોટનો સાચો પ્રેમ


બૅટલફીલ્ડ જ મારો સાચો પ્રેમ છે: કંગના રનોટ

Kangana Ranaut



કંગના રનોટનું કહેવું છે કે તેનો સાચો પ્રેમ તેનું બૅટલ ગ્રાઉન્ડ છે જ્યાં તે ક્યારેય એકલી મહેસૂસ નથી કરતી તે હાલમાં ‘ધાકડ’માં જોવા મળી રહી છે જેમાં તે એજન્ટ અગ્નિનું પાત્ર ભજવી રહી છે. ટ્વિટર પર ફોટો શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઝઘડામાં પણ શાંતિ મેળવવી તમને કદાચ વિચિત્ર લાગશે. બે તલવારની અથડામણના અવાજના પ્રેમમાં પડવું તમને કદાચ શક્ય નહીં લાગે. તમારા માટે બૅટલ ફિલ્મ એક ડરામણી વાસ્તવિકતા બની શકે, પરંતુ ફાઇટ માટે જ જન્મેલી વ્યક્તિ માટે આ દુનિયામાં બૅટલ ગ્રાઉન્ડથી વધુ સારી કોઈ જગ્યા ન હોઈ શકે. એક રાજપૂત મહિલા અને ક્ષત્રિયનું આ કન્ફેશન છે. મારો સાચો પ્રેમ બૅટલફીલ્ડ છે. આ એક જ માત્ર એવી જગ્યા છે જેમાં હું બહારની હોઉં એવું મને નથી લાગતું.’


કોરોના પૉઝિટિવ થયા બાદ પોતાને ક્વૉરન્ટીન કર્યો રણવીર શૌરીએ

Ranvir Shorey


રણવીર શૌરી કોરોના પૉઝિટિવ થતાં તેણે પોતાને ક્વૉરન્ટીન કરી લીધો છે. તે બુધવારે પૉઝિટિવ મળી આવ્યો હતો. તમામ વસ્તુ ફરી શરૂ થતાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. પોતાની હેલ્થ કન્ડિશન વિશે જણાવતાં રણવીર શૌરીએ ટ્વીટ કર્યું હતું કે ‘હું કોરોના પૉઝિટિવ થયો છું. લક્ષણો નજીવાં છે. મેં પોતાને ક્વૉરન્ટીન કરી લીધો છે.’

સંદીપ નાહરને શ્રદ્ધાંજલિ પાઠવી અક્ષયે

Sandip Nahar, Akshay Kumar

અક્ષયકુમારે ટ્વિટર પર તેના કો-સ્ટાર સંદીપ નાહરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સંદીપ અને અક્ષયે ‘કેસરી’માં સાથે કામ કર્યું હતું. સંદીપે સોમવારે તેના ગોરેગામના ઘરે સુસાઇડ કર્યું હતું. આ સુસાઇડ પહેલાં તેણે ફેસબુક પર એક વિડિયો અને પોસ્ટ કરીને તેની આપવીતી જણાવી હતી. જોકે તેણે સુસાઇડ કર્યું હોવાથી તેના આ વિડિયો અને પોસ્ટને કાઢી નાખવામાં આવ્યા છે. તેનો ફોટો શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘સંદીપ નાહરના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે. ‘કેસરી’ને કારણે હું તેને ઓળખું છું. તેના ચહેરા પર હંમેશાં સ્માઇલ રહેતી અને તે ફૂડને લઈને પૅશનેટ રહેતો હતો. જીવનમાં અચાનક કંઈ પણ થઈ શકે છે. તમે જ્યારે પણ લાઇફમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હો ત્યારે કોઈની પણ મદદ માગો. તેના આત્માને શાંતિ મળે.’

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2021 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK