Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અંજલિ બદલાઈ પણ તેના સ્વભાવનું શું?

અંજલિ બદલાઈ પણ તેના સ્વભાવનું શું?

14 September, 2020 09:07 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અંજલિ બદલાઈ પણ તેના સ્વભાવનું શું?

અંજલિ બદલાઈ પણ તેના સ્વભાવનું શું?


સબ ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાની વાઇફ અંજલિએ જે રીતે સોસાયટીના રંગારંગ કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યો એ જોઈને તારક મહેતા તેના પર આફરીન થઈ ગયા અને અંજલિનાં વખાણ કરવાનું શરૂ કરી દીધું. નૅચરલી અંજલિને પણ આ ગમી જ રહ્યું છે. આમાં ઉમેરો કરે છે ટપુસેના. ટપુસેના અંજલિઆન્ટીને સરપ્રાઇઝ આપવા ફૂડ-હૅમ્પર સાથે આવે છે અને અંજલિ તથા તારક મહેતાને એ ફૂડ-હૅમ્પર ગિફ્ટ આપે છે. હવે મુદ્દો અહીં એ ઊભો થાય છે કે અંજલિ મહેતાને તો એ ફૂડ-હૅમ્પરમાં આવેલી સ્વીટ્સથી લઈને ફરસાણ ખાવાની છૂટ છે, પણ તે તારક મહેતાને પરમિશન આપશે કે નહીં? તારક મહેતા એ માટે ટ્રાય શરૂ કરી દે છે અને તે ટપુસેનાનો પણ એમાં ઉપયોગ કરે છે. હવે જોવાનું એ છે કે તારક મહેતા પ્રત્યે અંજલિનો સ્વભાવ બદલાયો છે કે નહીં? હવે અંજલિ મહેતા તારકને ખાવા-પીવાની બાબતમાં છૂટ આપે છે કે નહીં? 

તારક મહેતા પાસે કોવિડ-19ના પિરિયડમાં પુષ્કળ ઑથેન્ટિક દલીલ છે, પણ આ દલીલની અસર કેવી થાય છે એ આ વીકના ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના એપિસોડમાં ખબર પડવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 09:07 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK