Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અને ફરી એકવાર જેઠાલાલ અને બબીતાનાં પ્રેમને નડ્યો ઐય્યર, વાંચો આખી ઘટના

અને ફરી એકવાર જેઠાલાલ અને બબીતાનાં પ્રેમને નડ્યો ઐય્યર, વાંચો આખી ઘટના

15 July, 2020 06:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અને ફરી એકવાર જેઠાલાલ અને બબીતાનાં પ્રેમને નડ્યો ઐય્યર, વાંચો આખી ઘટના

જેઠાલાલ અને બબીતાજી

જેઠાલાલ અને બબીતાજી


સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. 22 જૂલાઈથી તારક મહેતાના નવા એપિસોડ તમે જોઈ શકો છો. આ શૉમાં જેઠાલાલ અને બબીતાજીની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવે છે. તેમજ જેઠાલાલ પણ પોતાના પાડોશન બબીતાજીને લાઈન મારવાનો કોઈ મોકો છોડતા નથી. એવી જ રીતે એકવાર શૉમાં એવું દર્શાવવમાં આવ્યું હતું કે જેઠાલાલને પોતાના દુકાનના કામથી લંડન જવાની તક મળે છે. આ કારણથી આખું ગોકુલધામ એમનું સ્વાગત, સત્કાર અને સમારોહ રાખે છે. તે સમય દરમિયાન બધા સોસાયટીના મિત્રો જેઠાલાલને વરમાળા પહેરાવે છે.



બાદ બબીતાનો નંબર આવે છે, જેવો બબીતાજી જેઠાલાલને હાર પહેરાવવા માટે આગળ વધે છે, ત્યારે જેઠાલાલના મનમાં લડ્ડૂ ફૂટવા લાગે છે. એમને એવું લાગે છે, કે બબીતાજી એને વરમાળા પહેરાવવા માટે આવી રહી છે. બબીતાને હાર પહેરાવવા આવતા જોઈને જેઠાલાલ એકદમ ખુશ થઈ જાય છે, એટલામાં બન્નેની વચ્ચે ઐય્યર આવી જાય છે અને બબીતાના હાથમાંથી હાર લઈને જેઠાલાલને પહેરાવી દે છે. આ દૃશ્ય જોઈને જેઠાલાલનું મૂડ એકદમ ખરાબ થઈ જાય છે. બાદ બબીતા, જેઠાલાલ સાથે હાશ મિલાવીને એમને લંડન ટ્રિપ માટે શુભેચ્છા આપે છે.


આ પણ જુઓ : અથાણાં-પાપડ જેવી જ તીખી-મીઠી છે 'તારક મહેતા'ની 'માધવી ભાભી'

પરંતુ જેઠાલાલ, ઐય્યર સામે જ બબીતાજી સાથે હાથ પકડીને ફ્લર્ટ કરવા લાગે છે. જે જોઈને ઐય્યર ગુસ્સે થઈ જાય છે. બાદ બબીતાનો હાથ જેઠાલાલથી છોડાવી દે છે. પરંતુ જેઠાલાલ તસથી મસ નહીં થયા અને બબીતાજીને કહે છે સાચુ કહું તો મને એકલા લંડન જવાનુ બિલકુલ મન નથી. જો તમે મારી સાથે.... મારો અર્થ એટલે પૂરી ગોકુલધામ સોસાયટી આવી હોત તો ઘણી મજા આવી હોત.


હકીકતમાં જેઠાલાલ, બબીતાને શું કહેવા માગતા હતા, એ વાત ઐય્યરને સમજાય જાય છે અને તે જેઠાલાલને કહે છે, જેઠાલાલ તમે એક કામ કરો લંડનમાં જ શિફ્ટ થઈ જાઓ પાછા ક્યારે નહીં આવતા. બાદ જેઠાલાલ, તરત બબીતાજી તરફ જોઈને કહે છે... ઐય્યર ભાઈ, હું ગોકુલધામ સોસાયટીને છોડીને બીજે ક્યા શિફ્ટ થવાનો નથી અને એવું વિચાર્યું પણ નથી.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2020 06:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK