Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના આ ત્રણ સ્ટાર્સ કોરોના પૉઝિટિવ, શૂટિંગ રોકી

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના આ ત્રણ સ્ટાર્સ કોરોના પૉઝિટિવ, શૂટિંગ રોકી

25 August, 2020 11:18 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના આ ત્રણ સ્ટાર્સ કોરોના પૉઝિટિવ, શૂટિંગ રોકી

કાર્તિક અને નાયરા

કાર્તિક અને નાયરા


ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના 3 એક્ટર્સ અને કેટલાલ ટેક્નિશ્યિન કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. એક્ટર્સ સચિન ત્યાગી જે શૉમાં કાર્તિકના ડૅડી મનીષ ગોએન્કાનું પાત્ર ભજવે છે, સાથે સમીર ઓન્કાર અને સ્વાતિ ચિટનિસનો કોરોના વાઈરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. શૉમાં કાર્તિકના પિતાનો રોલ ભજવી રહેલા સચિન ત્યાગીએ કહ્યું, મારો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અમે બધા સેટ પર ઘણી સાવધાની રાખીને શૂટિંગ કરી રહ્યા હતા, તો પણ અમે કોરોના સંક્રમિત થઈ ગયા છે. મને લાગે છે કે અમારે બધાએ આ વાતને સકારાત્મક રીતે લેવી જોઈએ. મને લક્ષણો નહોતા પણ આભાર કે હું સમયસર પરીક્ષણ કરાવ્યું.

swati-sameer



કાર્તિકની દાદીનો રોલ ભજવી રહેલી સ્વાતિ ચિટનીસે કહ્યું, મને તેના લક્ષણો નથી. જોકે હાલ હું સ્વસ્થ થઈ રહી છું. હું સમયસર પર મારા સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરી રહી છું. હું આશા રાખું છું કે જલ્દીથી સ્વસ્થ થઈને કામ પર પાછી ફરી શકુ.



બીજી તરફ સમીર ઓન્કારે કહ્યું, જીવનમાં પહેલી વાર મને પૉઝિટિવ રહેવાનું સારું નથી લાગી રહ્યું. મારામાં તો કોરોનાના લક્ષ્ણો હતા પણ નહીં. મેં પોતાને આઈસોલેટ કરી લીધો છે અને પોતાના ડાયટની સંભાળ રાખી રહ્યો છું.

શૉની ટીમ સાથે જ અન્ય ક્રૂ-મેમ્બર્સને કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. સચિન ત્યાગીને તાવ આવતો હતો અને એથી તેણે ટેસ્ટ કરાવી તો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો હતો. આ જ કારણ છે કે અન્ય ક્રૂ-મેમ્બર્સને પણ આવાં લક્ષણ મળી આવતાં તેમણે પણ ટેસ્ટ કરાવી હતી. એમાંથી કેટલાક પૉઝિટિવ તો કેટલાક નેગેટિવ મળી આવ્યા છે. આ સિવાય અન્ય કલાકારોએ પણ ટેસ્ટ કરાવી છે. તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે.

આ પણ જુઓ : Shivangi Joshi: યે રિશ્તા ક્યા કહેલાતાની 'નાયરા' છે આટલી ગ્લેમરસ

તેમણે વધુમાં ઉમેર્યું, 'BMC ને જાણ કરી દેવામાં આવી છે અને આખો સેટ સ્વચ્છ કરીને સેનિટાઈઝ કરી દેવામાં આવ્યો છે. અમે ટીમ સાથે સતત સંપર્કમાં રહીએ છીએ કારણ કે તેમનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2020 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK