દિવાળી નિમિત્તે સુશાંત સિંહની બહેની આ અપીલ...
ફાઈલ ફોટો
સુશાંત સિંહ રાજપૂતના મોતને પાંચ મહિના પૂરા થઈ રહ્યા છે. સુશાંતના પરિવારે ચાહકો તથા તેના સપોર્ટર્સને અપીલ કરી છે કે તેઓ 'યે દિવાલી સુશાંતવાલી' મનાવે. સુશાંતની બહેન શ્વેતાએ ધનતેરસના દિવસે એક ટ્વીટ કરીને સુશાંતની તસવીર શૅર કરીને આ અપીલ કરી છે.
શ્વેતાએ પોસ્ટમાં લખ્યું કે, 'યે દિવાલી...સુશાંત વાલી. આવો, દરેક દિલમાં પ્રેમ તથા આશાનો દીપ પ્રગટાવીએ. આવો આ દિવાળી SSRના અંદાજમાં મનાવીએ.' શૅર કરેલી તસવીર પર લખવામાં આવ્યું હતું, 'સુશાંતને કોઈના જીવનમાં ખુશીઓ લાવવી પસંદ હતી. આથી જ નાના તથા જરૂરિયાતમંદ લોકો પાસેથી મીણબત્તિ કે દીવાઓ ખરીદો, જેથી તેઓ તહેવાર મનાવી શકે. જે મીઠાઈ ખરીદી શકતા નથી, તેમને મીઠાઈ વહેંચો. માનવતાને જીવિત રાખો અને જરૂરિયતામંદ લોકોની મદદ કરો. આની શરૂઆત 12 નવેમ્બરથી કરો.'
ADVERTISEMENT
View this post on Instagram
શેખર સુમને પણ ટ્વીટ કર્યું કે, 14 તારીખ દિવાળીના પ્રકાશની છે, તે સાથે કાળી તારીખ પણ છે કેમ કે આપણે આ જ તારીખે સુશાંતને ગુમાવ્યો હતો. મહેરબાની કરીને સુશાંતની યાદમાં એક દિવો પ્રગટાવો. ન્યાયનો માર્ગ મુશ્કેલભર્યો છે પરંતુ આપણે પ્રાર્થના તો કરી જ શકીએ છીએ.
સુશાંત 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં સુશાંત કેસની તપાસ CBI કરી રહ્યું છે. ED તથા NCB પણ તપાસ કરી રહ્યું છે.