અર્શદ વારસીનું કહેવું છે કે સ્ટોરીમાં ટ્વિસ્ટ અને ટર્ન લાવે એવાં પાત્રો તેને ખૂબ જ પસંદ છે. અર્શદ હાલમાં ભૂમિ પેડણેકરની ‘દુર્ગામતી : ધ મિથ’માં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરને લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે અને ફિલ્મ કેવી હશે એ તો અગિયાર ડિસેમ્બરે જ ખબર પડશે. આ ફિલ્મમાં અર્શદ વારસી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ વિશે અર્શદે કહ્યું હતું કે ‘આ પાત્ર ભજવવાનું મારું કારણ એ છે કે સ્ક્રિપ્ટ ખૂબ જ સારી છે. આ એક એવી સ્ક્રિપ્ટ છે જે એકદમ ઇન્ડિયન અને દર્શકોને પસંદ આવે એવી છે. આ ફિલ્મમાં ટ્વિસ્ટ અને ટર્ન ઘણા આવે છે અને એ કેટલા જરૂરી છે એ વાત પણ મને ખૂબ જ પસંદ પડી છે. આ ફિલ્મમાં એવી દરેક વાત છે જે એક સારી ફિલ્મ માટે દર્શકોને જોઈએ છે. આ ફિલ્મને લોકો પસંદ કરશે એવી મને ઘણી આશા છે.’
Mumbai Local: મધ્ય રેલવેની લોકલ સેવા ઠપ્પ, આ સ્ટેશન વચ્ચે ટ્રેકમાં ગરબડ
27th January, 2021 11:07 ISTપાકિસ્તાનની જેલમાં 18 વર્ષથી બંધ મહિલા પાછી ફરી ભારત, કહ્યું....
27th January, 2021 11:07 ISTશૌચાલયની બારીની જાળી તોડીને પોલીસ-સ્ટેશનમાંથી ચોર ફરાર
26th January, 2021 11:12 ISTમુંબઈમાં નવાં પાંચ સાઇબર પોલીસ-સ્ટેશન: ઉદ્ધવ ઠાકરે આજે ઉદ્ઘાટન કરશે
26th January, 2021 10:57 IST