Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ પાની શેખર કપૂરને કારણે પડતી મૂકવામાં આવી હતી:આદિત્ય ચોપડા

ફિલ્મ પાની શેખર કપૂરને કારણે પડતી મૂકવામાં આવી હતી:આદિત્ય ચોપડા

28 March, 2021 12:50 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ પાની શેખર કપૂરને કારણે પડતી મૂકવામાં આવી હતી:આદિત્ય ચોપડા

સુશાંત સિંહ રાજપૂત. તસવીર - પલ્લવ પાલીવાલ

સુશાંત સિંહ રાજપૂત. તસવીર - પલ્લવ પાલીવાલ


આદિત્ય ચોપડાએ મુંબઈ પોલીસને નિવેદન આપતાં જણાવ્યું હતું કે સુશાંતના ડિપ્રેશનનું કારણ ‘પાની’ને પડતી મૂકવાનું નહોતું. તેણે જણાવ્યું હતું કે ડિરેક્ટર શેખર કપૂર સાથે ક્રીએટિવ મતભેદ નિર્માણ થતાં આ ફિલ્મ અટકી ગઈ હતી. ૪ કલાક ચાલેલી પૂછપરછ દરમ્યાન આદિત્ય ચોપડાએ ઘણી માહિતી આપી હતી. આ કેસ સંભાળી રહેલા પોલીસ-ઑફિસરના જણાવ્યા મુજબ યશરાજ ફિલ્મ્સના કહેવા પર જ સુશાંતને ‘પાની’માં લીડ રોલ આપવામાં આવ્યો હતો. સાથે જ એ આરોપો તદ્દન ખોટા છે કે ‘પાની’ અટકી પડતાં સુશાંત ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. ૧૫૦ કરોડનાં બજેટવાળી આ ફિલ્મના પ્રી-પ્રોડક્શનમાં જ પાંચથી છ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જોકે ડિરેક્ટર અને આદિત્ય ચોપડા વચ્ચે ક્રીએટિવ મતભેદ ઊભા થતા આ ફિલ્મ બંધ પડી ગઈ હતી. 2015માં સુશાંતને કૉન્ટ્રૅક્ટમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી સુશાંત અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ મનદુઃખ નહોતું. આ ફિલ્મ ન બનવાથી સુશાંત ઉદાસ થયો હશે એ વાત સ્વાભાવિક છે. કોઈ પણ કલાકાર નિરાશ થઈ શકે છે. જોકે સુશાંત એક સમજદાર ઍક્ટર હતો. ઇન્ડસ્ટ્રીમાં આવું ચાલ્યા કરે છે, આ વાત સુશાંત પણ જાણતો હતો. ફિલ્મ ન બનવાથી સુશાંત ડિપ્રેશનમાં ગયો હતો એ વાત માનવા યશરાજ ફિલ્મ્સ અને આદિત્ય ચોપડા તૈયાર નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2021 12:50 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK