નાગિન 5માં કામ કરવાનો અનુભવ ફરી બાળક બની જવા જેવો : હિના ખાન
હિના ખાન (ફાઇલ ફોટો)
હિના ખાનનું માનવું છે કે ‘નાગિન 5’માં કામ કરવું એ મારા માટે ફરીથી બાળક બનવા જેવું છે. નાગિન તેના અન્ય શો કરતાં એકદમ હટકે છે. તેણે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘કસૌટી ઝિંદગી કી’માં કામ કર્યું છે. ‘નાગિન 5’ વિશે હિના ખાને કહ્યું હતું કે ‘પ્રામાણિકતાથી કહું તો મને ફરી એક વખત બેબી જેવું લાગી રહ્યું છે. આમ તો મારી પાસે ૧૧ વર્ષ કામ કરવાનો અનુભવ છે. મને બેબી જેવો અનુભવ એટલા માટે થાય છે, કારણ કે આ અન્ય ફૅમિલી ડ્રામા જેવો નૉર્મલ શો નથી. એ ટેક્નિકલ શો છે. તમારે માત્ર કલ્પના કરવાની હોય છે. અમારા મોટા ભાગનાં શૂટ્સ ગ્રીન સ્ક્રીન્સ સાથે થાય છે. એથી મારા માટે આ અલગ અનુભવ છે. મને એ ખૂબ ગમે પણ છે. હું ખુશ છું કે હું આ નવું અજમાવી રહી છું.’