Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહામારીને કારણે લોકો એક બીજા પર આધાર રાખતા થયા છે : અનુષ્કા શર્મા

મહામારીને કારણે લોકો એક બીજા પર આધાર રાખતા થયા છે : અનુષ્કા શર્મા

09 July, 2020 12:50 PM IST | Mumbai
Agencies

મહામારીને કારણે લોકો એક બીજા પર આધાર રાખતા થયા છે : અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા


અનુષ્કા શર્માનું કહેવુ છે કે કોરોના વાઇરસને કારણે લોકો એક બીજા પર આધાર રાખતા થયા છે. લોકો એક બીજા સાથે જોડાઈને પડખે ઊભા રહે છે. એ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ મહામારીને કારણે એક બાબત શીખવા મળી છે કે આપણે બધા એક બીજા પર આધાર રાખતા થયા છીએ. આપણી વચ્ચે જે પણ કનેક્શન છે, એ ખેડૂતથી માંડીને મોટા ઓર્ગેનાઇઝેશનનાં મોટા અધિકારીઓ સાથે જોડાયેલુ છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારે એક બીજા સાથે જોડાયેલા હોય જ છે. કોઈ એકનું કામ અન્યના પર અસર પાડે છે. આ એક બટરફ્લાય જેવી અસર છે. મને એવુ લાગે છે કે આ બાબતને આપણે નજરઅંદાજ કરી રહ્યા હતાં. આપણને લાગતુ હતું કે આપણી લાઇફ સ્વતંત્ર બની ગઈ છે, પરંતુ ખરેખર તો એવુ નથી. આપણે બધા એક બીજા સાથે કનેક્ટેડ છીએ. આ મહામારીમાં આપણે એક બીજાની પ્રશંસા કરતા થયા છીએ. સાથે જ બધાનાં કામની પણ પ્રશંસા કરવી જોઈએ. હું માત્ર ફ્રન્ટલાઇન વર્કર્સની જ વાત નથી કરતી. તેમનું યોગદાન તો સાહસભર્યું છે. આપણે બધાએ તેમનો આભાર માનવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2020 12:50 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK