Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



માનીની બનશે દુર્ગા

14 January, 2021 02:31 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

માનીની બનશે દુર્ગા

માનીની મિશ્રા

માનીની મિશ્રા


માનીની મિશ્રાને તેના ઍટિટ્યુડને લીધે સોની ટીવીના પૉપ્યુલર શો ‘સાવધાન ઇન્ડિયા-એફઆરઆઇ’ સિરીઝમાં સાઇન કરવામાં આવી છે. માનીની મિશ્રા આ સિરીઝમાં ઇન્સ્પેક્ટર દુર્ગા કુલકર્ણીનું કૅરૅક્ટર કરશે. દુર્ગાના કૅરૅક્ટર માટે માનીનીને બોલાવવા માટેનું કારણ સમજાવતાં માનીની કહે છે, ‘મારો ઍટિટ્યુડ પોલીસ-ઇન્સ્પેક્ટર જેવો છે એવું ચૅનલને લાગતાં ચૅનલે મને અપ્રોચ કરી અને આખી સિરીઝમાં આ કૅરૅક્ટર રહેવાનું હોવાથી મેં શો માટે હા પાડી. આ પ્રકારના શો આજના સમયમાં ખૂબ જરૂરી છે. આ શોથી અનેક જગ્યાએ ક્રાઇમ સૉલ્વ થયા છે તો અનેક ક્રાઇમ માત્ર મનના વિચારો પૂરતા જ સીમિત રહ્યા અને એ ક્યારેય થયા જ નહીં.’
ક્રાઇમ શોનું ઇમ્પોર્ટન્સ સમજાવતાં માનીનીએ કહ્યું હતું કે ‘આ પ્રકારના શો ક્રિમિનલ માઇન્ડ ધરાવતા લોકોનો કૉન્ફિડન્સ તોડવાનું કામ કરતા હોય છે, જે ખૂબ જરૂરી છે. ક્રાઇમ શો હકીકતથી વાકેફ કરે છે અને સિસ્ટમ પર ભરોસો અપાવવાનું પણ કામ કરે છે.’

 


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2021 02:31 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK