નેહા પેંડસેઃ મને પુરૂષો પર વિશ્વાસ નહોતો અને માન પણ નહીં
બિગ બૉસ ફેઇમ નેહા પેંડસેએ કરીને ખુલીને વાત.
બિગ બૉસ ફેણ નેહા પેંડસે બયાસ તેનાં લગ્નજીવનમાં ખુશ છે પણ એક તબક્કે તેણે પણ નિષ્ફળ સંબંધો જોયા અને તે અંગે તેણે આટલું ખુલીને ક્યારેય વાત નથી કરી. નેહાના અનેક ફેન્સનાં દિલ તુટી ગયા જ્યારે તેમે પુનામાં 5 જાન્યુઆરીનાં રોજ શાર્દુલ બયાસ સાથે લગ્ન કરી લીધા. જો કે આ સંતોષ અને સંપુર્ણતા ભરી જિંદગી સુધી પહોંચવું આસાન નહોતું.
તેણે પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે પહેલા કોઇએ પણ જેવો કરવો જોઇએ અથવા તો તે જેવા વહેવારને લાયક છે તેવો વહેવાર તેની સાથે કર્યો ન હતો. તેણે પોતાના પહેલાનાં સંબંધોને સંદર્ભે કહ્યું કે, “હું એક છોકરા સાથે સિરિયસ રિલેશનશીપમાં હતી અને તેની સાથે લગ્ન પણ કરવાની હતી પણ કમનસીબે તે ન થયું.એ કદાચ મારે માટે હતું જ નહીં.પણ એ સંબંધ તુટવાને કારણે મારે જે વેઠવું પડ્યું, જે રીતે મારે માટે પરિસ્થિતિ વિચિત્ર થઇ ગઇ તે બહુ વધારે હતું.હું રિલેશનશીપમાં નિષ્ફળતાને યોગ્ય રીતે નથી પચાવી શકતી કારણકે હું સંબંધોમાં બહુ જ ઇન્વોલ્વ થઇ જાઉં છું, મારું દિલ લગાડી દઉં છું.એટલે આ વખતે જ્યારે બધું બરાબર થઇ રહ્યું હતું ત્યારે મને થયું કે આ કદાચ સાચું છે જ નહીં.”
ADVERTISEMENT
જીવનમાં થયેલા માઠા અનુભવોને કારણે તે સંબંધોને જુદી રીતે જોતા શિખી ખરી એવા સવાલનાં જવાબમાં તે કહે છે, “હા, હું ધારતી હતી તેઓ જો શાર્દુલ ન નિકળત તો કદાચ હું હજી પણ મુર્ખ જ રહી હોત.હું બહુ હર્ટ થઇ હતી અને શાર્દુ પહેલાના સંબંધોમાં મને કોઇ સરખી રીતે ટ્રીટ નહોતી કરી.મને પુરુષો માટે ન તો વિશ્વાસ હતો કે ન કોઇ માન પણ મને લાગે છે મારા મનનો માણીગર તો મારી કાળજી રાખવા માટે હતો જ.”