દુર્યોધને ભિષ્મને આપ્યો સણસણતો જવાબ, કહ્યું ઉંમરનો મલાજો રાખો
મુકેશ ખન્નાએ વખોડનારી ટિપ્પણી કરી તેની પર બગડ્યા પુનિત ઇસ્સાર
થોડા સમય પહેલાં ભિષ્મ પિતામહનું પાત્ર ભજવનારા અને શક્તિમાન તરીકે લોકપ્રિય થયેલા અભિનેતા મુકેશ ખન્નાએ કરેલી ટિપ્પણી અંગે દુર્યોધનનું પાત્ર ભજવનારા પુનિત ઇસ્સારે અણગમો વ્યક્ત કર્યો છે. પુનીત ઇસ્સાર અને મુકેશ ખન્ના મહાભારતમાં સાથે કામ કરતા હતા. મુકેશ ખન્નાએ તાજેતરમાં સોનાક્ષી સિંહા અંગે ટિપ્પણી કરી હતી કે તેને હિંદુ મહાકાવ્ય રામાયણ વિષે કંઇ ખબર નથી.
સ્પોટ બૉયમાં આવેલા રિપોર્ટ અનુસાર પુનીત ઇસ્સારે કહ્યું કે, “મુકેશે પોતાની ઉંમર અનુસાર ગ્રેસફુલ રહેવું જોઇએ, સોનાક્ષી સિંહાને રામાયણ વિષે કંઇ ન ખબર હોય તેનાથી કંઇ દુનિયાનો અંત નથી આવી જતો.સોનાક્ષી AVMમાં ભણી છે અને મારાં છોકરાંઓ પણ ત્યાં જ ભણવા જતા.તે KBCમાં એક સવાલનો જવાબ ન આપી શકી તો થઇ શું ગયું?તમારી વય વધે તેમ તમારે વધારે ગ્રેસફુલ થવું જોઇએ.ફળ ઉગે ત્યારે વૃક્ષે તો નમવું જ જોઇએ.”
ADVERTISEMENT
તાજેતરમાં મુકેશ ખન્નાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મહાભારત અને રામાયણ જેવી સિરીયલનાં પાછા આવવાથી સોનાક્ષી સિંહા જેવી આજની પેઢીને માહિતી મળશે.સોનાક્ષી KBCમાં હનુમાનજી કોને માટે સંજીવની બુટી લેવા ગયા હતા તે સવાલનો જવાબ નહોતી આપી શકી.મુકેશ ખન્નાની આ ટિપ્પણીને પગલે સોનાક્ષીનાં શોટગન પપ્પા શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે મુકેશ ખન્નાને કોણે હિંદુ ધર્મના રખેવાળ નિમ્યા છે?પુનિત ઇસ્સારે, મુકેશ ખન્નાની એકતા કપૂર અંગેની ટિપ્પણીને પણ વખોડી.મુકેશ ખન્નાએ નવા મહાભારતની ટીકા કરી હતી તો પુનિતે કહ્યું હતું કે, “આ મારો પોતાનો અભિગમ છે, હું કોઇની ટીકા કરવા નથી માગતો પણ મહાભારત પર કોઇનો અધિકાર નથી.સાજીદ નડિયાદવાલાના પિતાએ પણ મહાભારત બનાવી હતી જે સુપરહિટ હતી અને દારા સિંગ તેના હિરો હતા અને તે ભિષ્મ પિતામહનાં દ્રષ્ટિકોણથી બનાવાયેલી ફિલ્મ હતી.”મુકેશ ખન્નાએ એકતા કપૂરની મહાભારત વિષે કહ્યું હતું મહાભારત સંસ્કૃતિ છે તમે તેને આધુનિક બનાવવા જાવ તો સંસ્કૃતિ પુરી થઇ જશે. તેમણે ટેટ્ટુ વાળી દ્રોપદીનાં પાત્રનું ઉદાહરણ આપી કહ્યું હતું કે આમ કંઇ કશું મોડર્ન ન બની શકે.