Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus: ટીવી એક્ટ્રેસ મોહેના કુમારીને કોરોના, લખ્યું ઉંઘ નથી આવતી

Coronavirus: ટીવી એક્ટ્રેસ મોહેના કુમારીને કોરોના, લખ્યું ઉંઘ નથી આવતી

02 June, 2020 05:38 PM IST | Hrikshikesh
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus: ટીવી એક્ટ્રેસ મોહેના કુમારીને કોરોના, લખ્યું ઉંઘ નથી આવતી

મોહેનાએ પોસ્ટમાં લખ્યું હતું કે બહારના લોકો મારા કરતાં વધુ તકલીફ વેઠે છે અને માટે જ મને ફરિયાદ કરવાનો હક નથી

મોહેનાએ પોસ્ટમાં લખ્યું હતું કે બહારના લોકો મારા કરતાં વધુ તકલીફ વેઠે છે અને માટે જ મને ફરિયાદ કરવાનો હક નથી


મોહેના કુમારીએ ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો અને તે ટ્રેઇન્ડ ડાન્સર અને કોરિયોગ્રાફર છે.રિયાલીટી શો બાદ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં દેખાયેલી મોહેનાએ લગ્ન કર્યા બાદ એક્ટિંગ કરવાનું છોડી દીધું હતું. મધ્યપ્રદેશ રેવાના રાજવી પરિવારની મોહેનાએ મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કર્યા છે. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે. 

તેણે તાજેતરમાં જ સ્પોટબોયમાં આપેલા ઇન્ટરવ્યુમાં તે અને તેનો પરિવાર કોરોના પૉઝિટીવ હોવાની કબુલાત કરી હતી. તેણે કહ્યું હતું કે, “અમારા પરિવારના સાત લોકો કોરોનાનો ભોગ બન્યા છે અને બાકી સંસ્થાના સભ્યો છે. તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાદમાં મારા પતિનાં મોટાભાઇનો રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો. ડરવા જેવું કંઇ નથી પણ અમે બધાં અહીં ઋષિકેશની હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છીએ.”



 


મોહેનાનાં પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી તથા તેમનો પાંચ વર્ષનો દીકરો Covid-19 પૉઝિટીવ આવ્યા છે. મોહેના કુમારીના સસરા તથા આધ્યાત્મિક ગુરૂ સતપાલ મહારાજ ઉત્તરાખંડમાં કેબિનેટ મિનિસ્ટર છે અને તેમનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ એ તમામનાં ટેસ્ટ થયા જે તેમને મળ્યા હોય. ઘરમાં સસરાની સંસ્થાના લોકો પણ રહે છે, ઘરમાં રહેનારા કૂલ 17 જણાનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.મોહેનાએ સોશ્યલ મીડિયા પર પોતે રાતે ઉંઘી નથી શક્તી તેવી પોસ્ટ શેર કરી હતી. તેના ચાહકોએ તેને હિંમત બાંધવા કહ્યું હતું.

 
 
 
View this post on Instagram

??

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) onJun 1, 2020 at 3:16pm PDT


p>મોહેનાએ પોસ્ટમાં લખ્યું હતું કે બહારના લોકો મારા કરતાં વધુ તકલીફ વેઠે છે અને માટે જ મને ફરિયાદ કરવાનો હક નથી. શરૂઆતનાં દિવસો મુશ્કેલ છે અને મને રાતે ઉંઘ નથી આવતી એમ લખ્યા બાદ મોહેનાએ ઉપર જણાવેલ વાક્ય ટાંક્યું હતું. મોહેનાના ચાહકોએ તેને જે કહ્યું તે બદલ પણ તેણે સૌને થેંક્યુ કહ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 05:38 PM IST | Hrikshikesh | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK