રામ ગોપાલ વર્માની 'મર્ડર' પર તેલંગણા કોર્ટે લગાવ્યો પ્રતિબંધ
રામ ગોપાલ વર્મા
રામ ગોપાલ વર્માની વિવાદિત ફિલ્મ ‘મર્ડર’ પર તેલંગણા કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. આ કેસની હાલમાં તપાસ ચાલી રહી છે. પી. બાલાસ્વામીના દીકરા પ્રણય કુમારની 2018ની 14 સપ્ટેમ્બરે મારુતિ રાવે કથિતરૂપે હત્યા કરી હતી. મારુતિ રાવે તેની દીકરી સાથે પ્રણયનાં લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. એવું કહેવાય છે કે દલિત પ્રણય કુમારની હત્યા કરવા માટે મારુતિ રાવે એક કરોડ રૂપિયા આપ્યા હતા. એસ. સી. એસ. ટી. સ્પેશ્યલ કોર્ટે આદેશ આપ્યા છે કે જ્યાં સુધી પ્રણય કુમારના કેસની તપાસ પૂરી ન થઈ જાય ત્યાં સુધી ફિલ્મના મેકિંગ અને એની રિલીઝ પર સ્ટે લગાવવામાં આવે. ‘મર્ડર’માં શ્રીકાંત આયંગર અને સહિતી લીડ રોલમાં છે. ફિલ્મમેકર્સ આ ફિલ્મને સિનેમા હૉલ્સમાંથી લૉકડાઉન હટ્યા બાદ રિલીઝ કરવા માગે છે.