Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC: લૉકડાઉનમાં 'જેઠાલાલ' થઈ ગયા છે હેરાન, કરી રહ્યા છે આમને યાદ

TMKOC: લૉકડાઉનમાં 'જેઠાલાલ' થઈ ગયા છે હેરાન, કરી રહ્યા છે આમને યાદ

14 October, 2020 03:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

TMKOC: લૉકડાઉનમાં 'જેઠાલાલ' થઈ ગયા છે હેરાન, કરી રહ્યા છે આમને યાદ

જેઠાલાલ

જેઠાલાલ


આખા વિશ્વમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી દીધો છે, ત્યારે 4 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉન બાદ થોડા સમયથી સરકારે એમાં થોડી છૂટછાટ આપી છે અને ધીમે ધીમે બધું અનલૉક થતું જોવા મળી રહ્યું છે, ત્યારે ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ ગોકુલધામ સોસાયટી પણ લૉકડાઉન્ટના આદેશોનું પાલન કરી રહી છે. દિવસો સપ્તાહમાં અને સપ્તાહ મહિનાઓમાં બદલાઈ ગયું છે. ઘરે રહીને લોકોને દિવસ અને રાત પણ ખબર પડતી નથી અને જોતા જોતા લૉકડાઉનના 8 મહિના થઈ ગયા છે.

લૉકડાઉનના કારણે ગોકુલધામવાસીઓ ઘરમાં રહીને કંટાળી ગયા છે. જેઠાલાલ પણ દુકાન ન જવાના કારણે હતાશ થઈ ગયા છે. તેમ જ ભીડે ઑનલાઈન ક્લાસિસ અને કોચિંગથી હેરાન થઈ રહ્યા છે. સોસાયટીની મહિલા મંડળ પણ પોતાના બાળકો અન પતિની હંમેશા આસપાસ રહેવાના કારણે અને ઘરના વધતા કામોને લઈને ચિંતિત થઈ રહી છે.



આ પણ વાંચો : Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત છે


આખી ગોકુલધામ સોસાયટી ઘરે રહીને અને લૉકડાઉનના લીધે હેરાન થઈ ગઈ છે. સોસાયટીને બધા સદસ્યો રૂટિન વસ્તુ ભજવતા કંટાળી ગયા છે. તેઓ રોજ સવારે ઉઠે છે, ઘરના કામકાજ કરે છે, ઈન્ટરનેટ પર સમય પસાર કરે છે અને ટીવી જુએ છે. તમામ રહેવાસીઓ આ વસ્તુઓથી કંટાળો અનુભવે છે.

તેવી જ રીતે સોસાયટીની તોફાની ટપુસેના પણ રમવા માટે બહાર નીકળી શકતી નથી. આ જ કારણથી દિવસભર ઘરમાં રહીને ટપુસેના પણ ઘણી ધમાલમસ્તી કરી રહ્યા છે અને એમની મસ્તીથી પણ સોસાયટીના લોકો ઘણા હેરાન થઈ ગયા છે.


ચંપકલાલ તેમના પુત્ર જેઠાલાલને ઉદાસ જોઈને અને તેની સાથે વાત કરે છે. બાપુજી એમને સમજાવે છે કે આ લૉકડાઉન જીવનની સુખદ મુસાફરીમાં આવનારી એક સામાન્ય મુશ્કેલી છે અને આ પ્રવાસથી થોભી નહીં જવું જોઈએ. જેઠાલાલ બાપુજીની વાત સાંભળી લે છે પરંતુ તેમની સમસ્યાઓ ઓછી થતી નથી. ચંપકલાલ જાણે છે કે જેઠાલાલને કેવી રીતે સમજાવી શકાય છે. હાલની પરિસ્થિતિ બધા માટે એક પડકાર છે, પરંતુ ગોકુલધામ સોસાયટીએ મોટીથી મોટી સમસ્યાઓનું સમાધાન ધીરજ, શાંતિ અને રમૂજની સાથે નીકાળ્યું છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2020 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK