TMKOC: જ્યારે જેઠાલાલના આ ડાયલૉગના કારણે સર્જાયો હતો જબરદસ્ત વિવાદ
જેઠાલાલ
સબ ટીવી પર આવતો સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉએ તાજેતરમાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે, પરંતુ આ સીરિયલમાં સૌથી વધારે ચર્ચા ગડા પરિવારની થાય છે. પછી જેઠાલાલના પિતા બાપૂજીની હોય કે એમની પત્ની દયાબેન સાથે એમની લડાઈ. તેમ જ બબીતાજી સાથે એમની મસ્તી-મજાક પણ દર્શકોને ઘણી પસંદ આવે છે. તાજેતરમાં જ દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક વખત તેઓ તેમના એક ડાયલૉનના કારણે ખરાબ રીતે ફસાઈ ગયા હતા.
હકીકતમાં, જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ તાજેતરમાં સ્ટેન્ડ-અપ કૉમેડિયન સૌરભ પંત સાથે પૉડકાસ્ટમાં ભાગ લીધો હતો. તે સમય દરમિયાન તેમણે પોતાનું પાત્ર એટલે જેઠાલાલ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શૅર કરી છે. દિલીપ જોશીએ જણાવ્યું કે જેઠાલાલ માટે એક ડાયલૉગ એમણે પોતે બનાવ્યો છે. જેમાં તે દયાબેનને 'પાગલ ઔરત' કરીને બોલાવતા હતા. પછી આ ડાયલૉગ મીમ્સ મટેરિયલ બની ગયો. આ ડાયલૉગના કારણે જબરદસ્ત વિવાદ પણ સર્જાયો હતો.
ADVERTISEMENT
તેમણે આગળ કહ્યું, આ પાગલ ઔરત વાળો ડાયલૉગ મેં પોતે ક્રિએટ કર્યો હતો. સેટ પર કોઈ એવી પરિસ્થિતિ આવી હતી, તો સીન કરતા-કરતા મારા મોંમાથી આ ડાયલૉગ બહાર નીકળી ગયા - એ પાગલ ઔરત, જેનો અર્થ એટલો હતો કે- ક્યાં કુછ ભી બોલ રહી હૈ. પરંતુ બાદ આ ડાયલૉગ બોલ્યા બાદ એક વિમેન લિબરેશન મૂવમેન્ટ થઈ ગઈ હતી અને મને કહેવામાં આવ્યું હતું કે આ શબ્દ ફરીથી ક્યારે પણ બોલશો નહીં. જોકે હું આ શબ્દને ખૂબ જ હળવા અંદાજમાં બોલ્યો હતો, પરંતુ પાછળથી કેટલાક લોકોએ તેનો ખોટો અર્થ કાઢ્યો હતો. તે દિવસથી મેં આ શબ્દનો ઉપયોગ ક્યારેય કર્યો નથી.