Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતાના નટુ કાકાને 13 દિવસ બાદ મળી હોસ્પિટલમાંથી રજા, હતો આ ડર

તારક મહેતાના નટુ કાકાને 13 દિવસ બાદ મળી હોસ્પિટલમાંથી રજા, હતો આ ડર

16 September, 2020 09:25 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તારક મહેતાના નટુ કાકાને 13 દિવસ બાદ મળી હોસ્પિટલમાંથી રજા, હતો આ ડર

નટુ કાકા

નટુ કાકા


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાની ભૂમિકા ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકને બે સપ્તાહ બાદ મંગળવારે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. 76 વર્ષના નટુ કાકાના ગળા માંથી 8 ગાંઠ થવાના અહેવાલ સામે આવ્યા હતા. આ પછી, ડોકટરોએ તાજેતરમાં તેના ગળા પર સર્જરી કરીને 8 ગાંઠ દૂર કરી હતી. અભિનેતાની તબિયતમાં સુધારાને કારણે હવે તે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. જણાવી દઈકે સર્જરી બાદ ત્રણ દિવસ સુધી તો તેઓ ન કઈ બોલી શક્યા અને ન તેઓ કઈ ખાઈ શક્યા. હવે તેઓ વધુ સારું અનુભવે છે અને વાત કરવામાં પણ સક્ષમ છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન ઘનશ્યામના પુત્ર વિકાસ નાયકે કહ્યું કે, આ વર્ષ અમારા પરિવાર માટે ઘણું મુશ્કેલ રહ્યું છે. શરૂઆતમાં મારી માતાને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી. તેણીને 10 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.



આ પણ વાંચો : ઓહોહો.. 'બબીતાજી'ની આ અદાએ તો સોશ્યલ મીડિયા પર માચવી બબાલ, તમે પણ જુઓ


થોડા સમય બાદ મેં મહિનામાં મને કોરોના થઈ ગયો હતો. હું પણ 10 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યો. કોરોનાથી તો હું જીતી ગયો પણ થોડા મહિના પછી પપ્પાની તબિયત ખરાબ થઈ. એમના ગળાની સર્જરી કરાવવી પડી.

આ પણ વાંચો : Guess Who : તમે ઓળખી શકો છો કે 'તારક મહેતા..' શૉની આ કઇ અભિનેત્રી છે?


ઘનશ્યામ નાયકની તબિયત અંગે વિકાસએ કહ્યું કે, તેમની સારવાર હજુ પૂરી થઈ નથી તેમ છતાં તેમને આજે રજા આપવામાં આવી છે. અહેવાલ મુજબ, તેમની સારવાર થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે, જેના માટે અમે થોડા મહિના સુધી હોસ્પિટલમાં આવતા રહીશું.

આ પણ જુઓ : 'તારક મહેતા..' શૉમાં જોવા મળેલી કૅરીની હૉટનેસનો પાર નથી, જુઓ તસવીરો

ઘનશ્યામના પુત્ર વિકાસએ કહ્યું કે, જેની અમને આશંકા હતી કે તેની ગળામાંથી કાઢી નાખવામાં આવી છે, તેનો ફોલો-અપ સારવારમાં પણ, અમારે ફક્ત કાળજી લેવી પડશે કે રોગ પાછો ન આવે. હા, કેન્સરનો ભય ચોક્કસપણે હતો, પરંતુ હવે આ ડર નીકળી ગયો છે. તેમનું આગળ ઘણું ધ્યાન આપવું પડશે. તમને જણાવી દઈએ કે, ઘનશ્યામ નાયકની સર્જરી મુંબઇના જાણીતા ઓન્કોલોજિસ્ટ (કેન્સર સર્જન) દ્વારા કરવામાં આવી છે.

આ અગાઉ નટ્ટુ કાકાએ જણાવ્યું હતું કે શૉના ઘણા કલાકારોએ તેમને ફોન કરીને મારી તબિયત વિશે પૂછ્યું છે. તેમણે કહ્યું કે તેઓ મારી સેટ પર રાહ જોઈ રહ્યા છે. ડૉક્ટરે એમને એક મહિના આરામ કરવાની સલાહ આપી છે. તેમણે વધુમાં કહ્યું- મને નથી લાગતું કે હું નવરાત્રી સુધી શૂટિંગમાં પાછો જઇ શકીશ.

શૉમાં નટ્ટુ કાકા એક રસપ્રદ પાત્ર ભજવે છે અને લોકોને તેમની ભૂમિકા પસંદ પણ આવે છે. નટ્ટુ કાકા કહે છે કે જ્યારે મહારાષ્ટ્ર સરકાર 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને શૂટિંગ કરવાની મંજૂરી આપશે, ત્યારે તે ચોક્કસપણે પ્રેક્ષકોનું મનોરંજન કરવા પાછા આવશે.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2020 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK