દયા વિનાની નવરાત્રી અને માને દયા રાખવાની વિનંતી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ વર્ષે પણ નવરાત્રી સેલિબ્રેશન રાખવામાં આવ્યું
સબ ટીવીના શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ વર્ષે પણ નવરાત્રી સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે. આ વીકથી શરૂ થનારા આ સેલિબ્રેશનની સૌથી મોટી ખાસિયત એ છે કે નવરાત્રીમાં આ વર્ષે માતાજી પાસેથી બીજું કશું નહીં પણ કોરોનાથી મૂક્તિ આપવાની અને વહેલામાં વહેલી તક પૃથ્વીને ફરીથી નોર્મલ કરવાની માંગણી કરવામાં આવી છે. આ અગાઉ ગણેશમહોત્સવ સમયે પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીમ તરફથી આ જ માંગ કરવામાં આવી હતી, એ સમયે જેઠાલાલે પીપીઇ સૂટમાં ઓડિયન્સ સામે આવીને વગર કારણે ઘરની બહાર નહીં નીકળવાની વિનંતી કરી હતી.
ADVERTISEMENT
આ વર્ષની નવરાત્રીમાં દયાબહેન ફરી પાછાં આવશે એવી અફવા ચાલી હતી, જેનું પણ નવરાત્રી સેલિબ્રેશન દરમ્યાન આપોઆપ ખંડન થઈ ગયું છે.