Taarak Mehtaમાં દયાબેનની એન્ટ્રી પહેલા જ શૉમાં આવ્યો ટ્વિસ્ટ
જેઠાલાલ
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ચર્ચા કે તારક મહેતા સીરિયલમાં દયાબેન ક્યારે આવશે. તો 2 વર્ષ બાદ પ્રોડ્યુસર અસિત મોદીએ જાહેરાત કરી કે ફાઇનલી દયાબેન સીરિયલમાં પરત ફરશે. દિશા વાકાણીએ પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મુકીને ચાહકોને જણાવી દીધું કે તે ફાઇનલી પરત ફરે છે. દયાબેનની ધમાકેદાર કમબેકનું પણ પ્લાનીંગ થઇ ગયું છે. પણ તેના કમબેક પહેલા એક નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે. શૉમાં દયાબેન પહેલા તેમનો અવાજ જેઠાલાલ સુધી પહોંચી ગઈ છે.
પિન્કવિલાની રિપોર્ટ પ્રમાણે લેટેસ્ટ એપિસોડમાં બતાવવામાં આવશે કે જેઠાલાલના લાખો પ્રયત્નો પછી દયાબેન નહીં પણ તેમનો અવાજ જેઠાલાલ સુધી પહોંચે છે. હકીકતે છેલ્લા એપિસોડમાં બતાવાયું હતું કે જેઠાલાલના સાળા સુંદર તેમને કહે છે કે તે દયા સાથે તેમની વાત કરાવશે. પણ પછી સુંદરના મિત્રો તેને યાદ અપાવે છે કે દયાબેન તો પોતાની માતા સાથે મંદિર ગયા છે.
ADVERTISEMENT
સતત ના પાડ્યા છતાં જેઠાલાલ દયા સાથે વાત કરવાની જિદ છોડતા નથી, પણ સુંદર વારંવાર તેને ના પાડતો રહે છે. જેઠાલાલ કહે છે કે દયા સાથે વીડિયો કૉલ પર વાત કરાવી દો, જેના પર સુંદર કહે છે કે મારા ફોનનો કેમેરો ખરાબ છે તેથી આ શક્ય નથી. જેઠાલાલની જિદને કારણે સુંદર પોતે દયાના અવાજમાં વાત કરવા લાગે છે. ફોનમાંથી આવતાં દયાના અવાજને સાંભળીને જેઠાલાલ ભાવુક થઈ જાય છે.
જેઠાલાલ દયાને કહે છે કે બધી જ સ્ત્રીઓ દુકાન પર આવી હતી અને કહી રહી હતી કે દયાને પાછી લઈ આવો. દયાબેનનો આ અજીબ અવાજ સાંભળીને જેઠાલાલ તેમને સવાલ પૂછે છે, જેના પર દયાબેનની એક્ટિંગ કરતાં સુંદર કહે છે કે શેરડી અને પાઇનએપ્પ્લ જ્યૂસના કારણે અવાજ બદલાઇ ગયો છે. એકાએક ટપ્પૂ પણ રૂમમાં આવી જાય છે અને દયા સાથે વાત કરવાની જીદ કરે છે. જેથી ફોન સ્પીકર પર રાખીને જેઠાલાલ તેની પણ વાત કરાવે છે. ટપ્પૂ પણ દયાબેન સાથે વીડિયો કૉલ પર જોડાવાની વાત કરે છે.
દયાબેનનો અવાજ કાઢતાં સુંદર સતત આ વાત ટાળે છે, નકારે છે. વારંવાર કહેવા પર આખરે સુંદર ગુસ્સામાં પોતાના જ અવાજમાં વાત કરી દે છે. જેને સાંભળીને દરેક અચંબામાં પડી જાય છે. જેના પછી સુંદરને દરેક વ્યક્તિ ઘણું જ સંભળાવે છે. પછી સુંદર બહાનું કરીને ફોન રાખી દે છે.
આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન
દયાબેનની રાહ જોતાં જેઠાલાલની ખૂબ જ કપરી સ્થિતિ થઈ ચૂકી છે. જોવાનું છે કે નવરાત્રિ સ્પેશિયલ એપિસોડમાં જ્યારે દયાનું કમબૅક થશે તો જેઠાલાલ શું રિએક્ટ કરે છે.