TMKOC: શૉમાં પાછી ફરવા માંગે છે 'તારક મહેતા'ની જૂની અંજલી ભાભી, પણ.....
નેહા મહેતા
ટીવીનો સૌથી ફૅમસ અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ શૉના તાજેતરમાં 12 વર્ષ પૂરા થયા છે અને સાથે જ આ સીરિયલના 3000 એપિસોડ પૂર્ણ થયા છે. જો કે, તે પહેલાં જ શૉના બે મોટા કલાકારોએ શૉને અલવિદા કહીં દીધું હતું. આ શૉમાં નેહા મહેતા (Neha Mehta) એ અંજલી મહેતા(Anjali Mehta)ની ભૂમિકા ભજવી હતી અને હવે તેની જગ્યાએ સુનૈના ફોજદારને લેવામાં આવ્યા છે.
નેહા મહેચા પહેલા એપિસોડથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ સાથે જોડાયેલી છે અને અંજલી ભાભીનો રોલ ભજવી રહી હતી, પરંતુ 11 વર્ષ કામ કર્યા પછી તેણે આ શૉને અલવિદા કહીં દીધું. તાજેતરમાં એક સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે તેને તારક મહેતા શૉમાં પાછા ફરવું છે.
ADVERTISEMENT
આ પણ જુઓ : મળો 'તારક મહેતા'ની નવી અંજલી ભાભીને, છે આટલી હૉટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો
નેહા મહેતાએ જણાવ્યું કે શૉ છોડ્યા બાદ તે ફરીથી શૉમાં પાછી ફરવા માંગતી હતી. નેહાએ આ અંગે વાતચીત કરતા કહ્યું કે, હાં હું એવું થયું હતું. હું શૉમાં પાછા ફરવા પર વિચાર કરવા માંગતી હતી. પરંતું હું સેટ પર પરિવર્તન માટે કેટલીક વિશેષ વસ્તુઓ ઇચ્છતી હતી.
નેહાને પૂછવામાં આવ્યું કે શું તેને લાગે છે કે સેટ પર તેની વિરૂદ્ધ જૂથવાદ (ગ્રુપિઝ્મ) હતું. જવાબમાં તેમણે કહ્યું કે કેટલીકવાર અને કેટલીક બાબતો પર મૌન એ સૌથી ઉત્તમ જવાબ છે. હું અહીં એવું કહેવા માટે નથી કે હું સ્પર્ધા, ઈર્ષ્યા, પાવર ગેમ અને અહંકારનો શિકાર હતી જે લોકોને આંધળા બનાવે છે. મને લોકો તરફથી ખૂબ પ્રશંસા મળી છે, લાખો લોકોએ મારી પાસેથી પ્રેરણા લીધી છે.
આ પણ વાંચો : તારક મહેતાના સેટ પર કોરોનાની એન્ટ્રી, શું આખી ગોકુલધામ સોસાયટી થશે ક્વૉરન્ટીન?
તેમણે કહ્યું કે તમે અહીંયાના નિયમો જાણો છો - તમને કરવું હોય તો કરો, નહીં તો છોડી દો. એક મુદ્દો એવો આવ્યો જ્યાં મને લાગ્યું કે મારે અહીં રોકાઈ જવું જોઈએ. એક શૉ ટીમવર્ક છે અને દરેકનો ફાળો છે. હું અભિનયના ક્ષેત્રમાં ઘણું આદર અને પ્રતિષ્ઠા રાખું છું કારણ કે તારક મહેતા ઉલ્ટા ચશ્મા શૉ પહેલા પણ મનોરંજનની દુનિયામાં મેં ઘણું કામ કર્યું છે.
નેહા મહેતાએ આગળ કહ્યું કે આ માત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નથી જેણે મને સેલિબ્રિટી બનાવી છે, હું એક સેલિબ્રિટી છું, જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ છે. શિક્ષિત અને બુદ્ધિશાળી વ્યક્તિ હોવાને કારણે મારે વિચારવું પડ્યું.
આગળ નેહા મહેતાએ કહ્યું કે શૉ કંઈક એવો હતો જ મને નિયમિત કામ અને કમાણી આપી રહ્યું હતું. કેટલીક વસ્તુઓ દરેક જગ્યાએ થાય જ છે અને તમારે તમારી સાથે શાંતિ જાળવી રાખવી પડશે.
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે.