Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હે મા, માતાજી, દિશા વાકાણીને મળી ચેતવણી...

હે મા, માતાજી, દિશા વાકાણીને મળી ચેતવણી...

22 March, 2019 05:36 PM IST |

હે મા, માતાજી, દિશા વાકાણીને મળી ચેતવણી...

દિશા વાકાણી

દિશા વાકાણી


નાના પડદાની હિટ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા'માં દયાબહેન ગડાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલી દિશા વાકાણીને આ શોમાં જળવાઈ રહેવા માટે માત્ર 30 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ શોના પ્રૉડ્યુસરે ચોખ્ખાં શબ્દોમાં કહ્યું છે કે જો દિશા 30 દિવસમાં શોમાં પાછી નહીં આવે તો તેના સ્થાને અન્ય કોઈ અભિનેત્રીને લેવાનો નિર્ણય કરવામાં આવશે. દિશા વાકાણી પુત્રીના જન્મ અને ઉછેરને લઈને સપ્ટેમ્બર મહિનાથી રજા પર છે. મળતી માહિતી પ્રમાણે ઘણા સમયથી તેની રાહ જોવાતી હતી પણ હવે નિર્માતાએ અંતિમ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. આ શોના નિર્માતા અસિત કુમાર મોદીના કહ્યાંનુસાર જાન્યુઆરીમાં દિશાનો એગ્રીમેન્ટ પૂરો નહોતો થયો તે હજી સુધી યથાવત છે. પણ હવે તેને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તે શોમાં પરત ફરશે તો બધાં માટે સારું રહેશે.



આ પણ વાંચો : આ કારણે ‘ટપુ’ ઉર્ફે ભવ્ય ગાંધીએ છોડ્યો હતો તારક મહેતા શૉ, ખુલ્યો ભેદ


ઉલ્લેખનીય છે કે પ્રૉડ્યુસર હવે રાહ જોવા માગતા નથી કારણ કે કેટલાય લોકોએ શોમાં જેઠાલાલની જોડી તૂટવા પર ઉદાસી વ્યક્ત કરી હતી. હકીકતે દિશા વાકાણીએ શોમાંથી બહાર થયા પછી છ મહિનામાં કોઈપણ કોન્ટેક્ટ કર્યો નથી. તેને લીધે જ એવી ખબરો ફેલાઈ રહી છે કે તે શોમાંથી બહાર થઈ ગઈ છે. એમ પણ કહેવાય છે કે જાન્યુઆરીથી અભિનેત્રી દિશાની અમુક માગણીઓ છે જે પૂરી નથી થઈ રહી. દિશાના પતિ ઈચ્છે છે કે દિશા માત્ર 4 કલાક શૂટ કરે અને મહિનાના માત્ર 15 દિવસ જ કામ કરે અને તેમને જે ફી મળતી હતી તે વધારીને બે ગણી કરી દેવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2019 05:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK