Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અર્નબ ગોસ્વામી સામે ૨૦૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો સંદીપ સિંહે

અર્નબ ગોસ્વામી સામે ૨૦૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો સંદીપ સિંહે

16 October, 2020 07:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્નબ ગોસ્વામી સામે ૨૦૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો સંદીપ સિંહે

સંદીપ સિંહ

સંદીપ સિંહ


સંદીપ સિંહે રિપબ્લિક ન્યુઝ અને એના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો છે. સાથે જ કેટલાક પત્રકારો વિરુદ્ધ પણ કેસ કર્યો છે. આ બધાએ સુશાંત સિંહ રાજપૂતના અવસાન માટે સંદીપ સિંહને જવાબદાર ગણ્યો હતો. સુશાંતે 14 જૂને સુસાઇડ કર્યું હતું. આ મામલાની સીબીઆઇએ પણ તપાસ કરી હતી. અનેક લોકોનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. સંદીપ સંબંધિત સ્ટિંગ ચલાવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ રિપબ્લિક ટીવી સહિત અનેક ચૅનલોનાં નામ ટીઆરપીને લઈને કરવામાં આવેલા કૌભાંડમાં ઉજાગર થયાં હતાં. એવામાં આ ચૅનલ્સ માટે કપરી સ્થિતિ આવી પડી છે, જ્યારે સંદીપે તેમને લીગલ નોટિસ મોકલી છે. એ નોટિસને સંદીપે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. નોટિસમાં લખવામાં આવ્યું છે કે અર્નબે પોતાના ફાયદા માટે તેના વિશે ખોટા સમાચારો દેખાડીને તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં, સંદીપે એ બધા પાસે જાહેરમાં માફી માગવાની સાથે જ 200 કરોડ રૂપિયા વળતર પેટે આપવાની માગણી કરી છે. એ નોટિસમાં એ તમામ વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ન્યુઝ ચૅનલ્સ પર દેખાડવામાં આવી હતી. એ બધી ખબરોને સંદીપે પાયાવિહોણી જણાવી છે. આ લીગલ નોટિસને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંદીપે કૅપ્શન આપી હતી કે હવે પૈસા લેવાનો સમય છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2020 07:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK