'ધ કપિલ શર્મા શો' બૉયકૉટ કરવાની સુશાંત સિંહ રાજપૂતના ફૅન્સની ડિમાન્ડ
કપિલ શર્મા
સુશાંત સિંહ રાજપૂતના ફૅન્સ ‘ધ કપિલ શર્મા શો’ને બૉયકૉટ કરવાની માગણી કરી રહ્યા છે, કારણ કે આ શો સલમાન ખાને કો-પ્રોડ્યુસ કર્યો છે. સુશાંતના નિધન બાદ લોકો બૉલીવુડમાં ચાલી રહેલા નેપોટિઝમને લઈને સલમાનની સાથે જ અન્ય સેલિબ્રિટીઝનો પણ વિરોધ કરી રહ્યા છે. ફેસબુક પર કેટલાક લોકોનાં ગ્રુપે જસ્ટિસ ફૉર સુશાંત સિંહ રાજપૂતના માધ્યમથી અપીલ કરી છે કે ‘ડિયર મેમ્બર્સ. ‘ધ કપિલ શર્મા શો’ને પૂરી રીતે બૉયકૉટ કરવામાં આવે.’
આ ગ્રુપમાં ૯૧ હજાર સદસ્યો છે. અનેક મેમ્બર્સે એ પોસ્ટ પર લાઇક્સ, શૅર અને કમેન્ટ કરી છે. સાથે જ એક મેમ્બરે પોસ્ટ કરી હતી કે ‘ડિયર સુશાંત સિંહ રાજપૂતની ફૅમિલી, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે સલમાન ખાન ‘ધ કપિલ શર્મા શો’નો કો-પ્રોડ્યુસર છે. આપણે એનો બધી બાજુએથી પૂરી રીતે વિરોધ કરવાનો છે. માત્ર તેની ફિલ્મો જ નહીં, પરંતુ દરેક ઠેકાણેથી. એથી ચાલો હવેથી ‘ધ કપિલ શર્મા શો’નો વિરોધ કરીએ. ફુલ ઑન બૉયકૉટ.’