SSR કેસ: કુકનો દાવો સેમ્યુલ મિરાન્ડા અને શોવિક અભિનેતા માટે ગાંજો લાવતા
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી હતી
14 જૂનના આત્મહત્યા કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુને ચાર મહિના થવા આવ્યા છે. ત્યારે આ કેસમાં દરરોજ નવા ખુલાસાઓ અને આક્ષેપો થઈ રહ્યાં છે. છેલ્લા થોડાક દિવસથી એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે, 13 જૂનની રાતે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સુશાંતને મળવા ગઈ હતી, સુશાંત ઘરની બહાર ગયો હતો, વગેરે. સાથે જ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, મૃત્યુની આગલી રાત્રે અભિનેતાના ઘરે પાર્ટી યોજાઈ હતી. આ તમમા બાબતોને અભિનેતાના કુક નીરજ અને મેનેજર સિદ્ધાર્થ પિઠાનીએ ખોટી ગણાવી છે. સાથે જ અભિનેતાને સેમ્યુલ મિરાન્ડા અને શોવિક ચક્રવર્તી ગાંજો પીવડાવતા હતા તેવો દાવો નીરજે કર્યો છે.
ટાઈમ્સ નાઉને આપેલા ઇન્ટરવ્યૂમાં નીરજે કહ્યું કે, ’હું ટૂંક સમયમાં મુંબઈ આવી જઈશ અને જો તપાસ એજન્સીઓ મને બોલાવશે તો તેમને પણ સપોર્ટ કરીશ. નીરજે 14 જૂનને યાદ કરતા કહ્યું કે, સુશાંતને સવારે પાણી મેં આપ્યું હતું અને જ્યૂસ કેશવે આપ્યો હતો. સવારે 8 વાગે સુશાંત સરને છેલ્લીવાર મળ્યો હતો. એ પછી તેઓ રૂમમાં જતા રહ્યા અને બહાર જ ના આવ્યા. સુશાંત તેમની પર્સનલ વાતો ઘરના સ્ટાફ સાથે શેર કરતા નહોતા. તેઓ દિશાના સલિયાનના મૃત્યુના સમાચારથી ટેન્શનમાં હતા. 8-9 જૂનની રાતે દિશાએ આત્મહત્યા કરી લીધી હતી. થોડા દિવસોથી સુશાંત સર પણ બીમાર હતા.’
ADVERTISEMENT
નીરજે 13 જૂને પાર્ટી થઇ હતી તે દાવાને નકારી દીધો. તેણે જણાવ્યું કે, 'સર ઘરે જ હતા અને વધારે સમય પોતાના રૂમમાં રહેતા હતા. તે દિવસે રિયા આવી નહોતી કે પાર્ટી થઇ નહોતી. 13 જૂને બહારની કોઈ વ્યક્તિ પણ ઘરે આવી નહોતી. મારી પાસે ડ્રગ્સની કોઈ જાણકારી નથી પરંતુ સુશાંત સર ગાંજો પીતા હતા. તેમના માટે ગાંજો સેમ્યુઅલ મિરાન્ડા અને શોવિક ચક્રવર્તી લઈને આવતા હતા.'
13 જૂનની પાર્ટી વિશે અભિનેતાના મેનેજર સિદ્ધાર્થ પિઠાનીએ પણ ખુલાસો કર્યો છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ હાલ હૈદરાબાદમાં પોતાના ઘરે છે. જ્યારે તેને રિયા સુશાંતના મૃત્યુના આગલા દિવસે મળી હતી તે વાત પૂછવામાં આવી તો તેણે નકારી દીધી. સિદ્ધાર્થે CBIને આપેલા સ્ટેટમેન્ટમાં પણ કહ્યું છે કે, રિયા 8 જૂને જ ઘર છોડીને જતી રહી હતી. રિયા પોતાની સાથે હાર્ડડ્રાઈવ્સ, કેમેરા લઇ ગઈ હતી તેના પાસવર્ડ તેને ખબર હતી.
તમને જણાવી દઈએ કે, નીરજ સિંહ સુશાંતના ઘરે છેલ્લા આઠ મહિનાથી કામ કરતો હતો. રિયા ચક્રવર્તીએ જ તેને નોકરી પર રાખ્યો હતો. જ્યારે સિદ્ધાર્થ પિઠાની 14 જૂન એટલે કે મૃત્યુના દિવસે સુશાંતના ઘરે જ હતો. સૌથી પહેલાં સુશાંતને પંખા પર લટકતો પણ તેણે જ જોયો હતો.