Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતનાં અવસાનને લઈને પાયલ ઘોષે કહ્યું...

સુશાંતનાં અવસાનને લઈને પાયલ ઘોષે કહ્યું...

11 September, 2020 07:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુશાંતનાં અવસાનને લઈને પાયલ ઘોષે કહ્યું...

પાયલ ઘોષ

પાયલ ઘોષ


સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ પર સવાલ ઉઠાવતાં પાયલ ઘોષે જણાવ્યું છે કે જેને મૃત્યુનો ભય હોય તે સુસાઇડ કેવી રીતે કરી શકે છે? સુશાંત અને પાયલ એક જ જિમમાં જતાં હતાં. તેનું એમ કહેવું છે કે સુશાંત શરમાળ અને દિલથી સારો વ્યક્તિ હતો. તાજેતરમાં જ તેના પ્રિસ્ક્રિપ્શનને લઈને ચર્ચા ચાલી રહી હતી. એ વિશે પાયલે કહ્યું હતું કે ‘સુશાંત જે દવાઓ લેતો હતો મેં તેનું પ્રિસ્ક્રિપ્શન ટીવી પર જોયું હતું. આ પૅનિક અટૅક અને વ્યગ્રતાની સામાન્ય દવાઓ છે. જે વ્યક્તિને પૅનિક અટૅક્સ આવે છે તેને મોતનો ભય સતાવે છે. આ બાબત હું મારા પર્સનલ અનુભવને કારણે કહી રહી છું, કારણ કે હું પણ આ સ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું. એક વાત નથી સમજાતી કે જે વ્યક્તિને મરવાનો ડર સતાવતો હોય તે સુસાઇડ કેવી રીતે કરી શકે છે? તેનું નિધન તો મારા માટે આજે પણ એક રહસ્ય જ છે. મને એ માનવામાં નથી આવતું કે તે ડિપ્રેશનનો શિકાર હતો. મેં જ્યારે તેના નિધનનાં સમાચાર જોયા તો મને વિશ્વાસ નહોતો બેસતો. પહેલાં તો મને એમ લાગ્યું કે આ એક અફવા હશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2020 07:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK