સુશાંતની આત્મહત્યાના કેસમાં સેલિબ્રિટી મેનેજર રેશમા શેટ્ટીની પૂછપરછ
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફઅંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતાની આત્મહત્યા બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ ફરી એકવાર જોર પકડયું છે. આ આત્મહત્યાના કેસની મુંબઈ પોલીસ તપાસ કરી છે અને પરિવારજનો સહિત બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં આજે એટલે કે શનિવારે બાંદ્રા પોલીસે સેલિબ્રિટી મેનેજર રેશમા શેટ્ટીની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પાંચ કલાક ચાલી હતી.
રેશમા શેટ્ટી બૉલીવુડનાં ઘણાં દિગ્ગજ કલાકાર સાથે કામ કરી ચૂકી છે. તેણે સલમાનખાન, અક્ષય કુમાર અને આલિયા ભટ્ટની સાથે કામ કર્યું છે. સુશાંત સિંહ રાજપૂત કેસને ઉકેલવા માટે પોલીસે આજે પાંચ કલાક રેશમાની પૂછપરછ કરી હતી. સુત્રોના મતે પોલીસે પૂછપરછમાં સલમાન ખાનની સાથે સુશાંતનાં વિવાદ અને બૉલીવુડમાંથી તેને બૉયકોટ કરવા અંગે સવાલ કર્યા હતાં. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર ચર્ચાતી વાતોને આધારે પણ પોલીસે રેશમાને સવાલ કર્યા હતા. સુશાંત સાથેની તેની મુલાકાત અંગે જ્યારે પુછવામાં આવ્યું ત્યારે રેશમાએ કહ્યું હતું કે તે ફક્ત બે જ વાર સુશાંતને મળી છે. તેમજ સોશ્યલ મીડિયા પર તેને બૉયકોટ કરવાની જે વાતો ચાલી રહી છે તે માત્ર અફવાઓ છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસે આપેલી માહિતી પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં અત્યાર સુધી 35 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.