Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વંશવાદને લઈને ટ્રોલ થતી સોનાક્ષીએ ડિલીટ કર્યું ટ્વિટર અકાઉન્ટ,કહી આ વાત

વંશવાદને લઈને ટ્રોલ થતી સોનાક્ષીએ ડિલીટ કર્યું ટ્વિટર અકાઉન્ટ,કહી આ વાત

20 June, 2020 09:04 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વંશવાદને લઈને ટ્રોલ થતી સોનાક્ષીએ ડિલીટ કર્યું ટ્વિટર અકાઉન્ટ,કહી આ વાત

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા


સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ વંશવાદને લઈને બધા જ કલાકારો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ આનાથી પ્રભાવિત થઈ છે. હવે તેણે મોટું પગલું લેતા પોતાનું ટ્વિટર અકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું છે અને ટ્રોલ થવાથી બચવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર કોમેન્ટ્સ સેક્શન બંધ કરી દીધું છે.

અભિનેત્રી સોનાક્ષી સિન્હાને આખરે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ અને ધાકધમકીઓથી બચવા માટે રસ્તો કાઢવો પડ્યો. તેણે શનિવારે પોતાનું ટ્વિટર અકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું છે અને કહ્યું કે તે પોતાની પવિત્રતાની રક્ષા માટે આમ કરી રહી છે. સોનાક્ષીએ એક એવૉર્ડ શૉમાં એમ પોહલરના GIF શૅર કરતા લખ્યું, "પોતાની રક્ષા માટે પહેલું પગલું નકારાત્મકતાથી દૂર રહેવું છે અને હાલ આ ટ્વિટરથી વધારે અન્ય ક્યાંય નથી. ચાલો મારું અકાઉન્ટ બંધ કરી રહી છું. અલવિદા મિત્રો."



સોનાક્ષીએ પોતાના છેલ્લા ટ્વીટમાં લખ્યું અને પછી ઝડપથી પોતાનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરી દીધું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ટ્વીટનું એક સ્ક્રીનશૉટ શૅર કર્યું અને લખ્યું, "આગ લગી બસ્તી મેં... ઔર મેં અપની મસ્તી મેં! બાય ટ્વિટર" સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર બધાની કોમેન્ટ પણ બંધ કરી રાખી છે. સુસાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોનાક્ષી અને અન્ય 'સ્ટાર કિડ્સ'ને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.


 
 
 
View this post on Instagram

Aag lage basti mein... mein apni masti mein! Bye Twitter ??

A post shared by Sonakshi Sinha (@aslisona) onJun 20, 2020 at 4:04am PDT


આ પહેલા સોનાક્ષીએ સુશાંતના નિધન બાદ લખ્યું હતું કે, "કેટલાક લોકો આને આધાર બનાવીને પોતાનો પ્રચાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સુવર સાથેની લડાઇમાં મુશ્કેલી એ છે કે ગંદકી તમારા પર ચોંટે છે અને સુવરોને આનંદ આવે છે. કેટલાક લોકો અમારા જેવા જ એક સભ્યનો મોતનો ઉપયોગ કરીને પોતાના મુદ્દાઓ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે... કૃપા કરીને અટકો. તમારી નકારાત્મકતા અને ઘૃણાની અત્યારે જરૂર નથી. દિવંગત પ્રત્યે કંઇક તો સન્માન રાખો."

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2020 09:04 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK