સુશાંત સિંહ રાજપૂતના નિધન અંગે કંગનાએ આપ્યું નિવેદન, કહી આ મોટી વાત
કંગના રણોત
અભિનેત્રી કંગના રણોત પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. દેશના કોઇપણ મુદ્દે તે હંમેશાં સ્પષ્ટરીતે પોતાનો મત વ્યક્ત કરતી હોય છે. તાજેતરમાં જ કાશ્મીરી પંડિતો પર થતાં અત્યાચાર અને હિંસા પર પણ કંગનાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કંગનાએ અજય પંડિતની હત્યા અંગે પણ ટ્વિટર દ્વારા પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો.
આજે પણ તે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર પણ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખરી ખોટી સંભળાવી છે, કંગનાએ ટ્વીટ દ્વારા કહ્યું કે, છિછોરે જેવી હિટ ફિલ્મ કરનાર સુશાંતની ફિલ્મને કોઇએ પણ એવૉર્ડ દ્વારા સન્માનિત કર્યું નહીં. ગલી બૉય ફિલ્મ પર નિશાનો સાધતાં કંગનાએ કહ્યું કે ગલી બૉયના જેટલા વખાણ થયા, તેનાથી વધારે છિછોરેને મળવા જોઈતા હતા, પણ એવું ન થયું.
ADVERTISEMENT
કંગનાએ કહ્યું કે, 'સુશાંતે મોટી મોટી ફિલ્મો કરી છે. 'છિછોરે' જો કોઇ સ્ટાર કિડમાંથી કોઇએ કરી હોત તેને ઘણો મોટો સ્ટાર માનવામાં આવ્યું હોત. જ્યારે કરણના એક નજીકની વ્યક્તિના લગ્ન હતા ત્યારે તેમાં સુશાંતને કેમ ન બોલાવવામાં આવ્યું? સુશાંતે સન્માન કેમ નથી આપવામાં આવ્યું? પોતાની પાર્ટીઝમાં ક્યારેય બોલાવવામાં આવ્યો નથી. તેને હંમેશાં ડિસ્ક્રેડિટ રાખવામાં આવ્યો. તે પણ એવી વ્યક્તિ હતી જેણે 'ધોની' અને 'છિછોરે' જેવી સારી અને સક્સેસફુલ ફિલ્મો આપી છે. તે ચોક્કસ વિચારમાં પડી ગયો હશે કે આખરે પોતાની જાતને સાબિત કરવા માટે હજી તેણે શું કરવું પડશે?'
કંગનાએ આગળ કહ્યું કે સંજય દત્તનું ડ્રગ એડિક્ટ થવું લોકોએ ગ્લેમરસ રીતે રજૂ કર્યું અને લોકોને સુશાંતની એકલતા ન દેખાઇ. કંગના એ કહ્યું કે સંજય દત્ત એલ્કોહોલિક ફેઝમાંથી પસાર થાય તો તે બાબા છે, પણ જ્યારે સુશાંતે કર્યું તો તેને વિલેન બનાવીને આખા વિશ્વમાં તેનો પ્રચાર કરી દેવામાં આવ્યો. તેને પેશાવર બનાવી દેવામાં આવ્યો.
#KanganaRanaut exposes the propaganda by industry arnd #SushantSinghRajput's tragic death &how the narrative is spun to hide how their actions pushed #Sushant to the edge.Why it’s imp to give talent their due &when celebs struggle with personal issues media to practice restraint pic.twitter.com/PI70xJgUVL
— Team Kangana Ranaut (@KanganaTeam) June 15, 2020
જણાવવાનું કે સુશાંતની છેલ્લી ફિલ્મ છિછોરે સિનેમાઘરોમાં ગયા વર્ષે રિલીઝ થઈ હતી, જેમાં સુશાંતે એક એવા પિતાનું પાત્ર ભજવ્યું હતું જેના દીકરાએ પોતાની નિષ્ફળતાથી પરાજિત થઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, ફિલ્મ ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને 100 કરોડથી વધારેનું વેપાર પણ કર્યો હતો, પણ આ વર્ષે આયોજિત ફિલ્મફૅર એવૉર્ડમાં છિછોરેને એક પણ એવૉર્ડ મળ્યો નહોતો, જ્યારે રણવીર સિંહની ગલી બૉયને ઘણાં એવૉર્ડ મળ્યા હતા.