Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહના કેસમાં સીબીઆઇ પર વિશ્વાસ રાખવાનું કહ્યું મીરા ચોપડાએ

સુશાંત સિંહના કેસમાં સીબીઆઇ પર વિશ્વાસ રાખવાનું કહ્યું મીરા ચોપડાએ

29 September, 2020 01:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુશાંત સિંહના કેસમાં સીબીઆઇ પર વિશ્વાસ રાખવાનું કહ્યું મીરા ચોપડાએ

મીરા ચોપડા

મીરા ચોપડા


મીરા ચોપડાનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આપણે સીબીઆઇ પર ભરોસો રાખવો જોઈએ. સુશાંતે ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. તેના સુસાઇડ બાદ આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. જોકે તેણે કેમ સુસાઇડ કર્યું એ વિશે હજી સુધી કોઈ માહિતી નથી અને આ કેસ હવે બૉલીવુડમાં ડ્રગ્સ તરફ વધુને વધુ વળાંક લઈ રહ્યો છે. આ વિશે મીરાએ ટ્વીટ કર્યું હતું કે ‘એવિડન્સનો નાશ કરવામાં આવ્યો હોવાથી અથવા તો ખૂબ જ સમય નીકળી ગયો હોવાથી આ કેસની તપાસ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આપણે સીબીઆઇ પર વિશ્વાસ રાખીને તેમને તેમનું કામ કરવા દેવું જોઈએ. દેશના લોકો આ કેસમાં તેને ન્યાય મળે એની રાહ જોઈ રહ્યા છે અને મને આશા છે કે ઑથોરિટીઝ દ્વારા એને નજરઅંદાજ કરવામાં ન આવે.’


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2020 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK