પેચીદો બને છે સુશાંતનો કેસઃબહેન અને Ex-GFના મતે રિયા સાથેનાં સંબંધો તંગ
સુશાંત સિંહ રાજપૂત(ફાઇલ ફોટો)
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધન બાબતે દરરોજ ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. મંગળવારે સુશાંતના પિતા કે.કે. સિંહે રિયા ચક્રવર્તી(Rhea Chakraborty) વિરુદ્ધ ગંભીર આરોપો મૂકતા એફઆઇઆર નોંધાવી. ત્યાર બાદ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે(Ankita Lokhande)એ બિહાર પોલીસ(Bihar Police)ને સુશાંત કેસ સંદર્ભે જરૂરી માહિતી આપી. ગુરુવારે મુંબઇમાં બિહાર પોલીસે સુશાંતની બહેન અને કૂકના નિવેદનો પણ રેકૉર્ડ કર્યા. આ સાથે જ ગુરુવારે બિહાર પોલીસે સુશાંતના બેન્ક અકાઉન્ટ્સના ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરી છે. આ બધું થઈ રહ્યું છે ત્યારે સુશાંત વિશે ફિલ્મ બનાવનાર વિજય શેખર ગુપ્તાનો દાવો ચોંકાવનારો છે.
સુશાંત સિંહ રાજપૂત પરની ફિલ્મ જ સુશાંતના વિશે જણાવશે શું થયું તે..- વિજય શેખર ગુપ્તાનો દાવો
સુશાંતના જીવન પર આધારિત ફિલ્મ 'સુસાઇડ કે મર્ડર- અ સ્ટાર વૉઝ લોસ્ટ'માં સુશાંતના ડુપ્લિકેટ દેખાતા ટિકટૉક સ્ટાર સચિન તિવારી સુશાંતનું પાત્ર ભજવવાનો છે. વિજય શેખર ગુપ્તાને જ્યારે પૂછવામાં આવ્યું કે સુશાંત કેસમાં અભિનેતાના પિતા કેકે સિંહ દ્વારા દાખલ કરાયેલી એફઆઇઆર બાદ નેપોટિઝ્મને બદલે શંકાનો ઘેરાવો રિયા ચક્રવર્તી પર થયો હોવાથી શું તેમને તેમની સક્રીપ્ટમાં કોઇ ફેરફાર કરવા જેવા લાગે છે. ત્યારે વિજય શેખર ગુપ્તાએ દાવો કર્યો છે કે મારી ફિલ્મની સ્ક્રીપ્ટમાં આ બધું પહેલાથી જ છે. મારે સ્ક્રીપ્ટમાં કોઇપણ પ્રકારના ફેરફાર કરવાની જરૂર નથી. સુશાંતના પિતાએ જે કેસ નોંધાવ્યો છે તે તેમણે એક મહિનો પહેલા નોંધાવવાની જરૂર હતી. આટલા વર્ષોથી ફિલ્મો બનાવ્યા બાદ હવે મને એટલો તો અંદાજો છે કે હજી આ કેસમાં કેટલા નવા વળાંક આવશે અને કેટલા લોકોની ધરપકડ કરવામાં આવશે. હજી કોના કોના નિવેદનો નોંધાશે તે વિશેનો બધો જ ઉલ્લેખ મેં મારી ફિલ્મની સ્ક્રીપ્ટમાં કર્યો છે. અને મારી ફિલ્મ એ જ રિઝલ્ટ બતાવશે જ્યાં ખરેખર ઇન્વેસ્ટિગેશનનો અંત આવશે. કારણકે મારી ફિલ્મ 25 ડિસેમ્બર 2020ના રોજ રિલીઝ થવાની છે.
ADVERTISEMENT
સુશાંત સિંહ રાજપૂત મામલે CBI તપાસની અરજી સુપ્રીમ કૉર્ટે ફગાવી, કહ્યું પોલીસને કરવા દો તેમનું કામ
અલ્કા પ્રિયા દ્વારા સુપ્રીમ કૉર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવે એવી માગ કરવમાં આવી હતી. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમની બેન્ચે કહ્યું કે, "મુંબઇ પોલીસને તેમનું કામ કરવા દેવું જોઇએ, અને તો તમારી પાસે કોઇ નક્કર પુરાવા છે તો પછી બૉમ્બે હાઇ કૉર્ટ જાઓ." આખા દેશમાં દિવંગત અભિનેતાના ચાહકો સીબીઆઇ તપાસની માગ કરી રહ્યા છે. આ સિવાય બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ કેસ સીબીઆઇને સોંપવાની માગ કરી રહ્યા છે.
સુશાંતના સુસાઇડ દરમિયાન ઘરમાં હાજર હતો આ કુક, પોલીસે નોંધ્યું નિવેદન
ગુરુવારે બિહાર પોલીસે સુસાંતના કુકનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યું છે. આ એ જ કુક છે જે સુશાંતના નિધન વખતે ફ્લેટમાં જ હાજર હતો. જ્યારે વારંવાર દરવાજો ખખડાવ્યા છતાં પણ સુશાંતે દરવાજો ન ખોલ્યો, ત્યારે સિક્યોરિટી ગાર્ડને કહ્યું, પછી તાળું તોડનારાને પણ સુશાંતના કુકે જ બોલાવ્યો હતો. એવામાં બિહાર પોલીસે હવે અભિનેતાના કૂકની પૂછપરછ કરીને તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે.
બિહાર પોલીસને સુશાંતની બહેને જણાવી 9થી 12 જૂન સુધીની આખી ઘટના
અભિનેતાના નિધન બાદ બિહાર પોલીસની એક ટીમ મુંબઇ પહોંચીને ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ છે. દરમિયાન સુશાંતની બહેન મીતુ સિંહનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. મીતુ સિંહે પોલીસને 9થી 12 જૂન સુધીની આખી ઘટના વિશે વાત કરી જેમાં તેણે પોલીસને જણાવ્યું કે, "8 જૂનની સાંજે રિયા ચક્રવર્તીએ ફોન કરીને તેના અને સુશાંતના ઝગડા વિશે જણાવ્યું. જેના પછી હું બીજા જ દિવસે સુશાંતના બાન્દ્રામાં આવેલા ઘરે થોડાક દિવસ માટે ગઈ."
સુશાંતની બહેને જણાવ્યું કે, "સુશાંતે મને તેના અને રિયા વચ્ચે થયેલા ઝગડા વિશે કહ્યું. સુશાંતે કહ્યું હતું કે રિયા પોતાના અને તેના કેટલાક સામાન સાથે ઘર છોડીને ગઈ અને હવે કદાચ ક્યારેય પાછી નહીં આવે, આમ કહીને ગઈ. સુશાંત આ કારણે ખૂબ જ દુઃખી હતો. મેં તેને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો. હું ત્યાં ચાર દિવસ રોકાઇ. મારા બાળકો નાના છે એટલે હું 12 જૂનના બાન્દ્રાથી પાછી ફરી. મેં જતી વખતે પણ સુશાંતને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. મેં સ્વપ્નેય આવું નહોતું વિચાર્યું કે સુશાંત આવું પગલું લેશે."
સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ બિહાર પોલીસને આપી કેસ સાથે જોડાયેલી કેટલીક માહિતી
જ્યારે બિહાર પોલીસે અંકિતા લોખંડેનો સંપર્ક કર્યો તો અંકિતાએ તેમને ઘણી બાબતો જણાવી. અંકિતાએ જણાવ્યું કે ફિલ્મ 'મણિકર્ણિકા'ના પ્રમોશન દરમિયાન સુશાંતે તેને વિશ કરવા માટે મેસેજ કર્યો હતો. ત્યારે જ ફિલ્મ માટે વધામણી આપ્યા બાદ બન્ને વચ્ચે ઘણી વાતચીત થઈ. આ દરમિયાન સુશાંત ખૂબ જ ભાવુક થયો અને જણાવ્યું કે રિયા સાથેના સંબંધોમાં તે ખૂબ જ હેરાન થઈ ગયો હતો. અને તે આ ખતમ કરવા માગે છે. સુશાંતે જણાવ્યું કે રિયા તેને ખૂબ જ હેરાન કરે છે.