Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > SSR કેસ: અભિનેતાના ગળામાં સોયના નિશાન હોવાનો હૉસ્પિટલ સ્ટાફનો દાવો

SSR કેસ: અભિનેતાના ગળામાં સોયના નિશાન હોવાનો હૉસ્પિટલ સ્ટાફનો દાવો

29 August, 2020 06:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

SSR કેસ: અભિનેતાના ગળામાં સોયના નિશાન હોવાનો હૉસ્પિટલ સ્ટાફનો દાવો

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


14 જુનના આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુને અઢી મહીના થઈ ગયા છે. અભિનેતાના આત્મહત્યા કેસની તપાસ અત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. ત્યારે તેમા અનેક નવા ટ્વીસ્ટ આવી રહ્યાં છે. હાલમાં જ અભિનેતાના પિતા કે કે સિંહે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમને દાવો કર્યો છે કે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) જ તેમનાં દીકરાની હત્યારી છે. સુશાંતનાં નિધન બાદ મુંબઇ પોલીસે કહ્યું કે, આ આત્મહત્યાનો કેસ છે પણ હવે કૂપર હોસ્પિટલનાં એક કર્મચારીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જે સુશાંતનાં શબને પોસ્ટમોર્ટમ બાદ હોસ્પિટલ અને પછી શ્મસાન ઘાટ લઇ ગયો હતો તે વ્યક્તિએ દાવો કર્યો છે કે, સુશાંતનું મર્ડર થયું છે.

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તી (Shweta Singh Kirti)એ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં કૂપર હૉસ્પિટલના કર્મચારીએ દાવો કર્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતનું મર્ડર થયું છે. અભિનેતાની બહેને ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂની ક્લિપ શૅર કરી છે. જેમાં તે વ્યક્તિએ સુશાંતની લાશ અંગે ઘણી વાતો જણાવી છે.



આ વીડિયો શેર કરતા સુશાંતની બહેને લખ્યું છે કે, 'હે ભગવાન!! આ પ્રકારની ખબરો સાંભળીને મારું દિલ લાખ વખત તૂટી જાય છે. તેમણે મારા ભાઇ સાથે શું કર્યું, કૃપા કરીને તેમની ધરપકડ કરો' #ArrestCulpritsOfSSR'



વીડિયોમાં વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે, હું બોડીને કૂપર હોસ્પિટલ અને પછી સ્મશાન ઘાટ સુધી લઈ ગયો હતો. હૉસ્પિટલમાં રિયા ચક્રવર્તી આવ્યાની વાત પણ તેને કબૂલી હતી. કર્મચારીએ કહ્યું કે, બે લોકોએ મને કહ્યું હતું કે, શું તે બોડી દેખાડી શકે છે? તે આવી તેણે બોડી જોઇ અને માફી માંગી હતી.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત સાથે બેન્ગકોક ટ્રિપ પર સારા અલી ખાન પણ હતી

હૉસ્પિટલના કર્મચારીએ દાવો કર્યો છે કે, મોટા મોટા ડોક્ટર્સ પણ કહી રહ્યાં હતાં કે આ મર્ડર છે આ ફાંસી નથી. કર્મચારીએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે બોડી જોઇને ઓળખી લઇએ છીએ કે, આત્મહત્યા છે કે હત્યા. ફાંસીની બોડી પીળી ન પડે. બોડીમાં ઘણાં નિશાન હતાં અને પગનાં તળીયામાં પણ સોય ભોંક્યાનાં નિશાન હતાં.

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2020 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK