Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > SSR કેસ: પિતાએ જૂનમાં કહ્યું હતું, તે નિરાશામાં આવીને આત્મહત્યા કરી શકે

SSR કેસ: પિતાએ જૂનમાં કહ્યું હતું, તે નિરાશામાં આવીને આત્મહત્યા કરી શકે

03 September, 2020 11:51 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

SSR કેસ: પિતાએ જૂનમાં કહ્યું હતું, તે નિરાશામાં આવીને આત્મહત્યા કરી શકે

સુશાંત સિંહ રાજપૂત પિતા કે.કે.સિંહ સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

સુશાંત સિંહ રાજપૂત પિતા કે.કે.સિંહ સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)


14 જૂનના આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુને અઢી મહીના કરતા વધુ સમય થઈ ગયો છે. આ કેસમાં અત્યાર સુધી પાંચ તપાસ એજન્સીએ તપાસ કરી રહી છે. પરંતુ હજી સુધી એ કોયડો ઉકેલાયો નથી કે આ આત્મહત્યા હતી કે પછી હત્યા! આ દરમિયાન અભિનેતાના પિતા કે કે સિંહે 16 જૂનના રોજ મુંબઈ પોલીસને આપેલા નિવેદનની કોપી સામે આવી છે. જેમાં તેમણે કહ્યું હતું કે, સુશાંતે નિરાશામાં આવીને આત્મહત્યા કરી હશે. તેમને કોઈની પર શંકા કે કોઈની વિરુદ્ધ ફરિયાદ નથી. જોકે, કે કે સિંહના આ નિવેદન પર તેમના વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે, મુંબઈ પોલીસને મરાઠીમાં નિવેદન લેવાની ના પાડી હતી પરંતુ મુંબઈ પોલીસે મરાઠીમાં લખેલા નિવેદન પર પરિવારની સહી કરાવી હતી.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના બે દિવસ બાદ એટલે કે 16 જૂને કે કે સિંહે મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, અભિનેતા તે નિરાશામાં આવીને આત્મહત્યા કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, 14 જૂન પહેલા સુશાંત સિંહની તબિયત ઠીક નહોતી. છેલ્લે સાત જૂનના રોજ સુશાંત સાથે વાત થઈ હતી. પોલીસને આપેલા નિવેદનમાં કે કે સિંહે રિયા ચક્રવર્તીનો ઉલ્લેખ કર્યો નહોતો.



સુત્રોના મતે, કે કે સિંહે મુંબઈ પોલીસને આપેલું નિવેદન તાજેતરમાં સામે આવ્યું છે. તે અનુસાર, કે કે સિંહે મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મને ખબર નથી કે મારા દીકરાએ આત્મહત્યા કેમ કરી હતી. મેં કોઈને કંઈ પૂછ્યું નહીં અને કોઈએ મને કંઈ પૂછ્યું નથી. તેની સાથે ક્યારેય તણાવ અંગેની ચર્ચા થઈ નથી. મને કોઈના પર શંકા કે ફરિયાદ નથી. મને લાગે છે કે સુશાંતે નિરાશામાં આવીને આત્મહત્યા કરી હશે. નિવેદનની કૉપી પ્રમાણે, સુશાંતના પિતાએ એમ પણ કહ્યું હતું કે, મુંબઈ પોલીસે આ નિવેદન મરાઠીમાં લખ્યું છે અને મને હિંદીમાં સમજાવ્યું છે.


આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતે મૃત્યુના એક મહિના પહેલા જ બહેન પ્રિયંકાને બનાવી હતી નૉમિની?

તમને જણાવી દઈએ કે, આ પહેલા સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતુ સિંહે 16 જૂનના રોજ મુંબઈ પોલીસને આપેલું નિવેદન સામે આવ્યું હતું. આ નિવેદનમાં મીતુએ સુશાંત ડિપ્રેશનમાં હોવાની વાત માની હતી. મીતુના મતે, સુશાંત ડિપ્રેશનમાં હતો અને 2013માં મનોચિકિત્સકની સલાહ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2020 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK