Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > SSR કેસ: અભિનેતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો વકીલનો દાવો

SSR કેસ: અભિનેતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો વકીલનો દાવો

25 September, 2020 07:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

SSR કેસ: અભિનેતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો વકીલનો દાવો

તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ

તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ


14 જૂનના રોજ આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત (Sushant Singh Rajput)ના મૃત્યુને ત્રણ મહિના કરતા વધુનો સમય થઈ ગયો છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ED), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન (CBI) અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) કરી રહી છે. પરંતુ હજી સુધી એ ખુલાસો થયો નથી કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી છે. તપાસ તથા ન્યાયમાં મોડું થતાં સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે નારાજગી વ્યક્ત કરી છે.

અભિનેતાના વકીલ વિકાસ સિંહે ટ્વીટ કર્યું હતું કે, 'CBI સુશાંત કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાને બદલે હત્યાનો કેસ કરવામાં મોડું કરી રહી છે અને તેથી હવે ફ્રસ્ટ્રેશન થઈ રહ્યું છે. AIIMSની ટીમના ડોક્ટરે મેં મોકલાવેલી તસવીર જોઈને કહ્યું હતું કે આ 200 ટકા ગળું દબાવીને મારી નાખવાનો કેસ છે. સુસાઈડ નહીં.'




જોકે, AIIMSના ફોરેન્સિક ચીફ સુધીર ગુપ્તાએ ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં વિકાસ સિંહના નિવેદન પર કહ્યું હતું કે, હાલમાં તપાસ થઈ રહી છે અને તેઓ જે કહે છે તે યોગ્ય નથી. તેઓ માત્ર ગળા પર નિશાન તથા ક્રાઈમ સીન જોઈને કોઈ પણ પરિણામ સુધી પહોંચી ના શકે કે આ હત્યા છે કે આત્મહત્યા. તપાસ કરવાની જરૂર છે અને હજી તે ચાલી રહી છે. હજી સુધી આ તપાસનું કોઈ પરિણામ આવ્યું નથી.


સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબ (CFSL)ના સૂત્રોના જણાવ્યા મુજબ, સુશાંત સિંહ રાજપૂતના મોતમાં કોઈ ફાઉલ પ્લે સામે આવ્યું નથી. બાન્દ્રા ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન પછી CFSLને જાણવા મળ્યું છે કે, અભિનેતાનું મોત ફાંસી લગાવવાથી થયું હતું. CFSLએ CBI ટીમને રિપોર્ટ આપી દીધો છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાય તેમ માનવામાં આવે છે. રિપોર્ટમાં પાર્શિયલ હેંગિંગ એટલે કે પૂર્ણ ફાંસી કહેવામાં આવી નથી. એનો અર્થ એ થાય કે મૃતકના પગ સંપૂર્ણ પણે હવામાં ન હતા. એટલે કે તે જમીનને ટચ હતા અથવા બેડ કે સ્ટૂલ જેવી કોઈ વસ્તુ પર હતા. બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન અને પંખા સાથે લટકતા કપડાંની સ્ટ્રેંથ ટેસ્ટિંગ પછી CFSLએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

સૂત્રોનું માનીએ તો CFSL વિશ્લેષણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, સુશાંતે બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હશે. તેણે પોતાના જમણા હાથનો ઉપયોગ પોતાને લટકાવવા માટે કર્યો હતો. ગળામાં પડેલી લિગેચર માર્કની ગાંઠની સ્થિતિનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાઈડ ડેન્ડર આ રીતે ફાંસી લગાવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવામા આવ્યું છે કે તેના રૂમમાંથી મળેલા કપડાંનો ઉપયોગ ફાંસી લગાવવા માટે કરાયો છે.

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2020 07:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK