Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુધીર મિશ્રાના પિતાનું નિધન, ફિલ્મનિર્માતાએ ટ્વીટ કરી આપી માહિતી

સુધીર મિશ્રાના પિતાનું નિધન, ફિલ્મનિર્માતાએ ટ્વીટ કરી આપી માહિતી

02 April, 2020 04:23 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુધીર મિશ્રાના પિતાનું નિધન, ફિલ્મનિર્માતાએ ટ્વીટ કરી આપી માહિતી

સુધીર મિશ્રાના પિતાનું નિધન, ફિલ્મનિર્માતાએ ટ્વીટ કરી આપી માહિતી


ફિલ્મનિર્માતા સુધીર મિશ્રાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ દુઃખના સમાચાર આપ્યા છે કે તેમના પિતાનું નિધન થઈ ગયું છે. નિખિલ અડવાણીએ પણ ટ્વીટ કરીનું દુઃખ વ્યક્ત કર્યું.

સુધીર મિશ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે, "મારા પિતા દેવેન્દ્રનાથ મિશ્રાનું આજે સવારે નિધન થયું છે. લખનઉનો એક છોકરો, એક મેથમેટિશિયન અને પચી મેથમેટિક્સના પ્રૉફેસર, સાગર યુનિવર્સિટી, જૉઇન્ટ એજ્યુકેશન એડવાઇઝર, મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશન, ડિપ્ટી ડાયરેક્ટર CSIR, એમપી સાયન્સ એન્ડ ટેક્નોલૉજીના હેડ અને બીએચયૂના વાઇસ ચાન્સેલર."




ડૉ. દેવેન્દ્રનાથ મિશ્રાના નિધનના સમાચાર સામે આવતાં જો બોલીવુડના અનેક સિતારાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે જેમાં સોનૂ સૂદ, નિખિલ આડવાણી, હંસલ મેહતા જેવા અને કલાકારોના નામ સામેલ છે.


 

સુધીર મિશ્રા બોલીવુડના એક જાણીતા ફિલ્મમેકર છે. તેમણે 'હજારો ખ્વાહિશેં એસી', 'ધારાવી', 'ચમેલી' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. એટલું જ નહીં તે ત્રણ વાર નેશનલ એવૉર્ડ પણ જીતી ચૂક્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2020 04:23 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK