Sridevi Death Anniversary: જાન્હવી કપૂરે શૅર કરી ઇમોશનલ પોસ્ટ
24 ફેબ્રુઆરીના આજથી 2 વર્ષ પહેલા એટલે કે 2018માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક એવા સમાચાર આવ્યા હતા જેને સાંભળીને બધાં ડઘાઇ ગયા હતા. સમાચાર હતા કે શ્રીદેવીનું નિધન થઈ ગયું છે, તેણે હંમેશાં માટે આ વિશ્વને અલવિદા કહી દીધું છે. અભિનેત્રીના મૃત્યુના સમાચાર જેવા લોકોની સામે આવ્યા કે બધાં જ ચોંકાઇ ગયા હતા, લોકો એ માનવા માટે તૈયાર જ ન હતા કે શ્રીદેવી આ દુનિયામાં નથી રહી.
શ્રીદેવીના નિધનને બે વર્ષ થઈ ગયા છે, પણ લોકો આજે પણ તેને ભૂલી શક્યા નથી. કોઇક ને કોઇક અવસરે તે તેના ચાહકોને યાદ આવી જ જાય છે. જ્યારે ચાહકોના મનમાંથી આજ સુધી શ્રીદેવી નથી નીકળી શકી તો વિચારો તેના પરિવારને તે કેટલી યાદ આવતી હશે.
ADVERTISEMENT
તેની ડેથ એનિવર્સરી પર તેની લાડલી દીકરી જાન્હવી કપૂરે એક પોસ્ટ દ્વારા એ શૅર કર્યું છે કે તે પોતાની માને કેટલું મિસ કરે છે. જાન્હવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર માતા સાથેની એક મોનોગ્રામ તસવીર શૅર કરી છે જેમાં તે શ્રીદેવીને ગળે ભેટીને સૂતી છે. આ તસવીર જાન્હવીના બાળપણની છે. તસવીર શૅર કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે, "હું તમને દરરોજ મિસ કરું છું."
આ પણ વાંચો : બે વર્ષ પછી થયો શ્રીદેવીના મૃત્યુનો ખુલાસો, આખરે આ હતું કારણ?
જાન્હવીની તસવીર પર કરણ જોહર, મહીપ કપૂર, સંજય કપૂર, કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાનીએ પણ કોમેન્ટ કરી શ્રીદેવીને યાદ કર્યા.