Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નીતૂ સિંહે અજાણતાં કરી ઋષિ કપૂરની બીમારીની વાત, શરૂ થઈ કેન્સરની ચર્ચા

નીતૂ સિંહે અજાણતાં કરી ઋષિ કપૂરની બીમારીની વાત, શરૂ થઈ કેન્સરની ચર્ચા

02 January, 2019 04:51 PM IST |

નીતૂ સિંહે અજાણતાં કરી ઋષિ કપૂરની બીમારીની વાત, શરૂ થઈ કેન્સરની ચર્ચા

નીતૂ કપૂર પરિવાર સહિત (તસવીર નીતૂ કપૂર ઈન્સ્ટાગ્રામ)

નીતૂ કપૂર પરિવાર સહિત (તસવીર નીતૂ કપૂર ઈન્સ્ટાગ્રામ)


ઋષિ કપૂર છેલ્લાં લાંબા સમયથી ન્યૂયોર્કમાં પોતાની બીમારીની સારવાર કરાવે છે. હજી સુધી આ બાબતે કોઈપણ સમાચાર આવ્યા નથી, પણ નીતુ કપૂરે નવા વર્ષના આગમન પર એક પારિવારિક ફોટો શૅર કરતી વખતે કંઈક એવું લખ્યું કે જેનાથી ભારતીય મીડિયામાં આ અનુમાન લગાવવામાં આવે છે કે ઋષિ કપૂર કદાચ કેન્સરના ભોગ તો નથી બન્યા ને?

જો કે, તેમણે ઈન્સ્ટાગ્રામ પર દીકરા રણબીર કપૂર, દીકરી રિદ્ધિમા અને તેમનો પરિવાર અને સાથે જ આલિયા ભટ્ટની સાથેનો એક ફોટો શૅર કરતાં લખ્યું છે કે હેપ્પી 2019, આ વર્ષે કોઈ રિઝોલ્યુશન્સ નહીં, માત્ર વિશ છે. ઓછું ટ્રાફિક અને ઓછું પ્રદૂષણ થાય. આશા કરું છું કે કેન્સર ઝોડિએક સાઈન (રાશિ)થી વધુ કંઈ ન રહે. નીતૂએ સૌના સ્વસ્થ આરોગ્યની કામના કરી છે. જો કે ફોટોમાં બધા ખૂબ જ ખુશ દેખાય છે.



અનુમાન કરવાનું શરૂ થઈ ગયું છે કે આખરે નીતૂ કપૂરે કેન્સર શબ્દપ્રયોગ કર્યો તેના પાછળનું કારણ શું? ક્યાંક એવું તો નથીને કે જે સમાચાર પાછલા દિવસોમાં આવ્યાં હતા કે ઋષિ કપૂર કેન્સરની સારવાર માટે જ વિદેશ ગયા છે, તે ખરેખર સત્ય છે કે? જો કે રણધીર કપૂરે આ સમાચારને નિરાધાર જાહેર કર્યા છે. નોંધનીય છે કે 2018 આરોગ્યની બાબતે બૉલીવુડ સિતારાઓ માટે ખરાબ નીવડ્યું. કારણકે કેટલાય સેલિબ્રિટીઝ કેન્સરના સકંજામાં આવ્યા. સોનાલી બેન્દ્રેએ એકાએક થોડાં સમય પહેલાં જ જાહેર કર્યું કે તેને કેન્સર છે.


આ પણ વાંચો : દીપિકા પાદુકોણ સિંહે ખોલ્યું રહસ્ય, આ છે તેમના જીવનની સૌથી સુખદ ક્ષણ

અહીં ઉલ્લેખનીય છે કે થોડાં જ સમય પહેલા સોનાલી બેન્દ્રેએ પોતાને કેન્સર હોવાની જાહેરાત કરી અને તે સારવાર માટે વિદેશ ગઈ પણ હતી અને હવે તે સ્વસ્થ થઈને ભારત પણ આવી ગઈ છે. સોનાલી સિવાય ઈરફાન ખાનને પણ કેન્સર થયો હોવાના સમાચાર મળ્યા હતા અને માત્ર આ બે નહીં પણ અનેય કેટલાક બૉલીવુડ સિતારાઓએ કેન્સરને માત આપી છે અને હાલ સામાન્ય જીવન વ્યતીત કરે છે જેમાં નફીસા ઓવેરિયન, આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ, મનીષા કોઈરાલા, લિઝા રે, અનુરાગ બસુ તેમજ મુમતાઝ જેવા કેટલાક નામો છે જે કેન્સર સામે અડીખમ ઊભાં રહ્યાં અને તેને માત આપી.


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2019 04:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK