Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > વિઘ્નહર્તા ગણેશના ફૅન્સ માટે ગુડ ન્યુઝ

વિઘ્નહર્તા ગણેશના ફૅન્સ માટે ગુડ ન્યુઝ

15 December, 2020 03:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિઘ્નહર્તા ગણેશના ફૅન્સ માટે ગુડ ન્યુઝ

વિઘ્નહર્તા ગણેશના ફૅન્સ માટે ગુડ ન્યુઝ


સોની ટીવીનો જાણીતો માઇથોલૉજિકલ શો ‘વિઘ્નહર્તા ગણેશ’ બંધ થવાનો છે એવા સમાચાર સાંભળ્યા બાદ શોના ચાહકોને આંચકો લાગ્યો હતો. જોકે નવા અપડેટ મુજબ આ શો બંધ નથી થવાનો, પણ અના ટાઇમ-સ્લૉટમાં ફેરફાર થશે. ફિક્શન શોના રેટિંગ બાબતે સોની ટીવી ભલે ટોચ પર ન હોય, પણ એના અમુક શોની વ્યુઅરશિપ વર્ષો સુધી અકબંધ રહી છે અને ‘વિઘ્નહર્તા ગણેશ’ એમાંનો એક શો છે. ૨૦૧૭માં લૉન્ચ થયેલો આ શો અત્યારે ૭.૪૫થી ૮.૩૦ સુધી એટલે કે ૪૫ મિનિટ સુધી ઑન-ઍર થતો હતો છે જે સમય હવે ઘટીને અડધો કલાક એટલે કે ૮થી ૮.૩૦ વાગ્યાનો કરવામાં આવશે.

બીજું એ કે ૪ જાન્યુઆરીથી ૭.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન નવો શો ‘પુણ્યશ્લોક અહિલ્યાબાઈ’ શરૂ થવાનો છે જે અહિલ્યાબાઈ હોળકરના જીવન પર આધારિત છે. આ પિરિયડ ડ્રામામાં ૧૮મી સદીની વાત છે, જ્યારે અહિલ્યાબાઈ પોતાના સસરા મલ્હારરાવ હોળકરના અદમ્ય પ્રોત્સાહનને લીધે મરાઠા સામ્રાજ્યના રાણી બન્યાં અને ‘માતોશ્રી’ તરીકે ઓળખાયાં.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2020 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK