Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બેહદ 2: માયાની જિંદગીમાં વિલન બનીને આવશે અંકિત સિવાચ

બેહદ 2: માયાની જિંદગીમાં વિલન બનીને આવશે અંકિત સિવાચ

16 March, 2020 05:36 PM IST | Mumbai
Mumbai Correspondent

બેહદ 2: માયાની જિંદગીમાં વિલન બનીને આવશે અંકિત સિવાચ

જેનિફર વિન્ગેટ, અંકિત સિવાચ

જેનિફર વિન્ગેટ, અંકિત સિવાચ


તાજેતરમાં સોની ટીવીનો શો ‘બેહદ 2’ ટીવી પર બંધ થવાનો છે અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર ચાલુ રહેશે એવી ચર્ચાને વેગ મળ્યો હતો. જોકે ટીવી પર એ ચાલુ રહેશે અને ફક્ત તેના ટાઇમ-સ્લૉટમાં ફેરફાર થશે એવું સામે આવ્યું છે. ૧૬ માર્ચથી આ રોમૅન્ટિક થ્રિલર ડ્રામા ૯ વાગ્યાને બદલે ૧૦.૩૦ વાગ્યે પ્રસારિત થશે. આ શોની પહેલી સીઝનમાં જેનિફર વિન્ગેટ, કુશલ ટંડન અને અનેરી વજાણી મુખ્ય કલાકારો હતાં, તો ‘બેહદ 2’માં જેનિફર વિન્ગેટ ઉપરાંત આશિષ ચૌધરી અને શિવિન નારંગ લીડ રોલમાં છે.

આ શોમાં માયા જયસિંહ (જેનિફર) એક આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર લેખિકા હોય છે જે તેના સૌથી મોટા દુશ્મન એમજે (આશિષ ચૌધરી)ને ખતમ કરવાનો પ્લાન બનાવે છે. એમજેએ માનવી સિંહ (માયાનું પૂર્વ નામ) નામની નિર્દોષ છોકરી સાથે દગો કર્યો હોય છે અને ગર્ભમાં રહેલા તેના બાળક તેમ જ ભાઈનું ખૂન કર્યું હોય છે. આ રિવેન્જ સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવવા માટે એક નવું પાત્ર એન્ટ્રી કરવાનું છે. ‘મનમોહિની’ ફેમ અંકિત સિવાચ આ શોમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. અંકિત અને જેનિફરનાં પાત્રો ભૂતકાળમાં સાથે હતાં અને હવે તે માયાની જિંદગીમાં કેવા ફેરફાર લાવે
છે એ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 05:36 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK