તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે વધુ માઠા સમાચાર,નિધિ ભાનુશાળીએ શો છોડ્યો
તારક મહેતાની સોનું છોડશે શો?
ભારતના ઘરે ઘરમાં પહોચેલી ફેમિલી સીરિયલ “તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. છેલ્લા ઘણા સમયથી તારક મહેતાના સીરિયલમાં પ્રખ્યાત દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી પહેલાથી જ શોને અલવિદા કહી ચુકી છે. ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સીરીયલની વધુ એક એક્ટ્રેસ શોને અલવિદા કહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સીરિયલમાં સૌથી વધુ પ્રખ્યાત તપુનું પાત્ર ભજવતો ભવ્ય ગાંધી શોમાંથી એક્સિટ લેતા ઘણો વિવાદ થયો હતો.
મળી રહેલી માહિતી પ્રમાણે તારક મહેતા સીરિયલમાં ભીડે માસ્ટરની દીકરી સોનુનું પાત્ર ભજવતી નિધિ ભાનુશાળી પણ હવે શો છોડીને જઇ રહી છે. જોકે મળતી માહિતી પ્રમાણે તે પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાના કારણે આ શો છોડી રહ્યાનું બહાર આવ્યું છે. સોનું ઉર્ફે નિધિ હાલ મુંબઈમાં મિઠીબાઈ કૉલેજમાંથી પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. તે ઘણીવાર સેટ પર પણ ભણતી જોવા મળતી હોય છે.
View this post on Instagram
ADVERTISEMENT
નિધિ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ભણતર પર રાખવા ઇચ્છે છે. સીરિયલનાં નિર્માતા નિધિને રિલેક્સેશન આપવાનાં મૂડમાં છે. નિર્માતા ઇચ્છે છે કે નિધિ શૂટિંગ માટે ઓછો સમય આપીને અભ્યાસ પર ફૉક્સ કરે. જોકે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોનુ ઉર્ફે નિધિ પોતાના નિર્ણય પર અડગ છે.
આ પણ વાંચોઃ ઈશા અંબાણીએ પતિ આનંદ પિરામલ સાથે જુહુમાં માણી ડેટ, જુઓ તસવીરો
ત્યારબાદ હવે મેકર્સ એક એક્ઝિટ એપિસોડની તૈયારીમાં છે જેમાંથી તેઓ નિધિનાં પાત્રને વિદાય આપશે. ઉલ્લેખનીય છે કે નિધિના પાત્રથી નિર્માતા અને દર્શકો પણ તેના પાત્રથી ખુશ છે. નિધિની માસૂમિયત દર્શકોને ખુબ જ ગમી રહી છે. જોકે શૉમાં સોનૂનું પાત્ર નિધિ પહેલા ઝીલ મહેતા નિભાવી રહી હતી. તેણે લગભગ 6 વર્ષ સુધી આ સીરિયલમાં કામ કર્યું હતુ.