સોનમને આયોડિનની ઊણપ વર્તાતાં લોકોને ભોજનમાં મીઠું લેવાની આપી સલાહ
સોનમ કપૂર
સોનમ કપૂર આહુજાએ લોકોને ટેબલ સૉલ્ટ લેવાની સલાહ આપી છે. તેને શરીરમાં આયોડિનની ઉણપ હોવાની જાણ થતાં તે લોકોને આ સલાહ આપી રહી છે. ઇન્સ્ટાસ્ટોરી પર લોકોને સજાગ બનાવવાનું કામ કરતાં સોનમે કૅપ્શન આપી હતી કે ‘દરેક શાકાહારી અથવા તો વેગનને જણાવવા માગુ છું કે તમે આહારમાં જે પણ મીઠુ લેતા હો એમાં આયોડિનની યોગ્ય પ્રમાણમાં માત્રા હોવી જરૂરી છે.
આ પણ વાંચો : અમદાવાદ: આ સ્ટારના ફાઈવ સ્ટાર હોટલના જમવામાં નિકળ્યા કિડા,જુઓ વીડિયો
ADVERTISEMENT
મને હાલમાં જ જાણ થઈ છે કે મારામાં આયોડિનની ખામી સર્જાઈ છે. ટેબલ સૉલ્ટ લેવાથી સરળતાથી આયોડિન મળી શકે છે. થૅન્ક યુ ગાઇઝ.
લવ યુ ઑલ.’